વલસાડના એક વિસ્તારમાં રહેતી મુસ્લિમ યુવતીએ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમને તેણીના વાલીઓની કથિત હેરાનગતિ બાબતે મદદ કરવાની માંગણી કરતા સિટી પોલીસે યુવતી સહિત તેના પરિવારજનોને પોલીસ મથકે તેડાવ્યા હતા જ્યાં યુવતીએ હિંદુ પ્રેમીના ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરતા પોલીસે તમામને કાયદાની સમજ આપ્યા બાદ યુવતીને તેના પ્રેમીના ઘરે મોકલી આપતા મામલો થાળે પડ્યો હતો. વલસાડના એક વિસ્તારમાં રહેતી પુખ્ત વયની મુસ્લિમ યુવતીએ જિલ્લા પોલીસ કંટ્રોલરૂમને કોલ કરી તેણીના વાલીઓ તેની મરજી વિરુદ્ધ લગ્ન કરાવવા દબાણ કરી રહ્યા હોવાનું જણાવી મદદ કરવાની માંગણી કરી હતી જે આ બાબતે કંટ્રોલરૂમમાંથી વલસાડ સીટી પોલીસને જાણ કરાતા સીટી પોલીસ નો સ્ટાફ યુવતીના ઘરે પહોંચ્યો હતો જે બાદ યુવતી અને તેના પરિવારજનોને સીટી પોલીસ મથકમાં તેડાવવામાં આવ્યા હતા સિટી પોલીસ મથકમાં આવેલી યુવતીએ તેણીના હિન્દુ યુવક સાથે પ્રેમ સંબંધો હોવાને કેફિયત રજૂ કરી હતી. ઉપરાંત તેણીએ માતા-પિતાના ઘરે નહીં પરંતુ પ્રેમી સાથે જ અને પ્રેમીના ઘરે જ જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જે બાદ પુખ્ત વયની યુવતીના પ્રેમીને પણ પોલીસ મથકમાં બોલાવવામાં આવ્યો હતો. દરમ્યાન સીટીપીઆઈ બીડી જીત્યાએ યુવતીના વાલીઓ અને તેણીના પ્રેમીના વાલીઓને પ્રવર્તમાન કાયદાઓની સમજ આપી અંત્ય યુવતીને તેણીના પ્રેમીના ઘરે મોકલી આપવામાં આવતા મામલો થાડે પડ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચોપાટી દરિયાકિનારે દશામાની પ્રતિમાઓ ખંડીત થયેલી અવસ્થામાં જોવા મળી
ચોપાટી દરિયાકિનારે દશામાની પ્રતિમાઓ ખંડીત થયેલી અવસ્થામાં જોવા મળી
સુરત મહાનગર પાલિકા(SMC) પણ શહેરભરમાં રખડતા ઢોરો પર અંકુશ મેળવવા માટેની કવાયત હાથ ધરી
આજે વહેલી સવારથી જહાંગીરાબાદ ખાતે આવેલ ટીપી 42ના એફપી 152 પર છેલ્લા ઘણા સમયથી ઉભા કરવામાં આવેલા...
સુરતમાં રાજ્ય સરકારના મંત્રી વિનોદ મોરડીયા દ્વારા એક તિરંગા યાત્રા યોજવામાં આવી હતી
સુરતમાં રાજ્ય સરકારના મંત્રી વિનોદ મોરડીયા દ્વારા એક તિરંગા યાત્રા યોજવામાં આવી હતી
મુસ્લિમ મંત્રીની વિષ્ણુપદ મંદિરની મુલાકાતને લઈને વિવાદ, બિનહિંદુઓ પર પ્રતિબંધ
બિહારના ગયામાં પ્રસિદ્ધ વિષ્ણુપદ મંદિરમાં મંત્રી ઈઝરાયેલ મન્સૂરીના પ્રવેશને લઈને વિવાદ ઉભો થયો...
LIVE | Arvind Kejriwal Speech Today | Surat માં AAP ની સભા | Gujarat Election 2022 | Gujarat News
LIVE | Arvind Kejriwal Speech Today | Surat માં AAP ની સભા | Gujarat Election 2022 | Gujarat News