ચોટીલા નેશનલ હાઈવે પર આવેલ એક ગેસ્ટ હાઉસમાંથી પ્રેમીપંખીડાની સજોડે આત્મહત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી જે અંગેની જાણ ગેસ્ટહાઉસના સંચાલક અને સ્ટાફે પોલીસને કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી. જ્યારે આ મામલે મૃતકના પરિવારજને ચોટીલા પોલીસ મથકે જાણ કરી હતી.આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચોટીલા હાઈવે પર આવેલ ઋતુરાજ ગેસ્ટ હાઉસના રૂમ નં.૧૦૬માંથી આત્મહત્યા કરેલી હાલતમાં પાયલબેન છનાભાઈ પરાલીયા ઉ.વ.૨૧, રહે.જીવાપર (આ) તા.ચોટીલા અને રાહુલભાઈ રમેશભાઈ મેટાળીયા ઉ.વ.૨૩, રહે.લાલવદર તા.વીંછીયાવાળાની સજોડે આત્મહત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી .જે અંગેની જાણ બીજે દિવસે સવારે પોલીસને થતાં ચોટીલા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી. પ્રાથમીક તપાસમાં મૃતક રાહુલભાઈ મેટાળીયા અને યુવતી પાયલબેન પરાલીયાને પ્રેમસબંધ હોય પરંતુ મૃતક રાહુલભાઈના લગ્ન થઈ ગયા હોવાથી બન્ને એકબીજા સાથે રહી શકે તેમ નહીં હોવાથી ગેસ્ટહાઉસમાં રૂમ ભાડે રાખી કપાસમાં છાંટવાની ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. બન્ને પ્રેમીપંખીડાની આત્મહત્યાથી પરિવારજનો સહિત ગામમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
वोटिंग के बाद क्या रहेगी विपक्षी रणनीति? दिल्ली में इंडिया गठबंधन की बैठक
लोकसभा चुनाव में सातवें और आखिरी फेज के लिए 57 लोकसभा सीटों पर वोटिंग हो रही। इसी बीच आगे की...
विकास नगर स्कूल में 17 और 19 आयु वर्ग हैंडबॉल प्रतियोगिता का हुआ समापन
बूंदी । शिक्षा विभाग द्वारा आयोजित 68 वी जिला स्तरीय चार दिवसीय हैंडबॉल प्रतियोगिता का समापन...
Jawan, starring Shah Rukh Khan, will be released on August 25. - Newzdaddy
Its announcement, the Atlee-directed film Jawan, starring Shah Rukh Khan, has been making news....
शेतकऱ्यांने आमदार धस यांना केला कॉल धस अण्णांनी नगरसेवक राजू जाधव यांना आदेश देताच काही तासात झाला प्रॉब्लेम सॉल
पाटोदा (गणेश शेवाळे)तळेपिंपळगाव येथील शेतकरी नारायण चौरे हे आनेक दिवस बँकेच्या दारात...