ડી.આઇ.જી.પી. આર.વી.અસારી તથા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક વી.જે. રાઠોડ હાલોલ વિભાગ તથા પોલીસ ઇન્સ્પેકટર આર.એમ.સંગાડા નાઓના માર્ગદર્શન મુજબ અગામી દિવસોમાં રામ મંદીરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કાલોલ પોલીસ સ્ટેશન ખાતે મંગળવારે સાંજે શાંતી સમિતિની મિટિંગ રાખવામાં આવેલ જેમાં કાલોલ પો.સ્ટે વિસ્તારના દરેક સમાજના આગેવાનો આવેલ અને તમામ સમાજના આગેવાનો થી વાકેફ થઇ કાલોલના તમામ આગેવાનોને વાતાવરણ શાંતિમય વાતાવરણ રહે તે માટે જરૂરી સુચના કાલોલ પીએસઆઈ સી બી બરંડા દ્વારા આપી તેમજ આગેવાનોને પણ તેમની રજુઆત સાંભળી

આગામી દિવસોમાં અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક વી જે રાઠોડ હાલોલ વિભાગ તથા સર્કલ પોલીસ ઈન્સ આર.એમ.સંગાડા અને કાલોલ પોલીસ સ્ટેશન ના પીએસઆઈ સી બી બરંડા નાઓના નેતૃત્વ હેઠળ કાલોલ વિસ્તારમાં આવેલ કસ્બા વિસ્તાર- ત્રણ ફાનસ- નગર પાલિકા રોડ - રબ્બાની મસ્જિદ - ભાથીજી મંદિર - બસ સ્ટેશન વિસ્તારમાં કાલોલ પોલીસ સ્ટાફ સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.