થાન તાલુકાના ગુગલીયાણા ગામની સીમમાંથી ઇલેક્ટ્રિક વાયરની ચોરી કરનાર ૭ શખ્સોને થાન ચોટીલા રોડ પરથી સુરેન્દ્રનગર એલસીબી પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે ૨૫૦ કિલો વાયર, એક ગાડી તેમજ મોબાઇલ સહીત કુલ રૂા.૨,૪૨,૫૦૦ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.ગુગલીયાણા ગામની સીમમાં થોડા સમય પહેલા ઇલેક્ટ્રિક વાયરની ચોરીનો બનાવ બન્યો હતો. આ મામલે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી, ત્યારે આ ચોરીનો ભેદ ઉકેલવા સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમે તપાસ હાથ ધરી હતી. ઇલેક્ટ્રિક વાયરની ચોરી કરનાર શખ્સો એક ગાડીમાં ચોરી કરેલા વાયર લઇ વેચવા માટે થાન ચોટીલા રોડ પરથી પસાર થવાના હોવાની બાતમી સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમને મળી હતી.આથી એલસીબી ટીમે થાન ચોટીલા રોડ પર આવેલા અવલીયા ઠાકરના મંદિર પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ગાડી પસાર થતાં એલસીબીએ તેને અટકાવી તલાશી લેતા ગાડીમાંથી ૨૫૦ કિલો ઇલેક્ટ્રિક વાયરનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે ગાડીમાં બેસેલા ગભરૂભાઇ પિતાંબરભાઇ ગોઢકીયા, વિશાલભાઇ હીરાભાઇ ચુડાસમા, ઇશ્વરભાઇ હિરાભાઇ ચુડાસમા, રાજેશભાઇ છગનભાઈ મકવાણા, દિપકભાઇ મગનભાઇ ઉઘરેજીયા, ભાવેશભાઇ વિભાભાઇ કાવઠીયા અને સચિન ઉર્ફે ગોગી નીતીનભાઇ પરમારને વાયરના જથ્થા અંગે પુછપરછ કરતા સાતેય શખ્સોએ સાથે મળી ગુગલીયાણાની સીમમાંથી વાયરની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નાગરિકોની સલામતી માટે જાહેર સ્થળોએ સંસ્થાઓએ CCTV લગાવવા ફરજિયાત
#buletinindia #gujarat
અનુસૂચિત કલ્યાણ વિભાગ પોરબંદર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૮૦૦થી વધારે લાભાર્થીઓને લાભ અપાયો
અનુસૂચિત કલ્યાણ વિભાગ પોરબંદર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૮૦૦થી વધારે લાભાર્થીઓને લાભ અપાયો
Aurangabad | बांधकाम कामगारांना सुरक्षा संच मिळत नसल्याने कामगार संतप्त
Aurangabad | बांधकाम कामगारांना सुरक्षा संच मिळत नसल्याने कामगार संतप्त
फिट इंडिया फ्रीडम रन उपक्रमास परभणीकरांचा उस्फूर्त प्रतिसाद
परभणी, दि.२ (प्रतीनीधी):- युवा व खेल मंत्रालय यांनी पुढाकार घेवुन "फिट इंडिया फ्रीडम रन" 3.0 कि....
কি কয় প্ৰসুতি মাতৃৰ পৰিয়ালে? মঙ্গলদৈ থানাত এজাহাৰ দাখিল। দোষীক উচিত শাস্তিৰ দাবী পৰিয়ালৰ।
কি কয় প্ৰসুতি মাতৃৰ পৰিয়ালে? মঙ্গলদৈ থানাত এজাহাৰ দাখিল। দোষীক উচিত শাস্তিৰ দাবী পৰিয়ালৰ।