થાન તાલુકાના ગુગલીયાણા ગામની સીમમાંથી ઇલેક્ટ્રિક વાયરની ચોરી કરનાર ૭ શખ્સોને થાન ચોટીલા રોડ પરથી સુરેન્દ્રનગર એલસીબી પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે ૨૫૦ કિલો વાયર, એક ગાડી તેમજ મોબાઇલ સહીત કુલ રૂા.૨,૪૨,૫૦૦ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.ગુગલીયાણા ગામની સીમમાં થોડા સમય પહેલા ઇલેક્ટ્રિક વાયરની ચોરીનો બનાવ બન્યો હતો. આ મામલે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી, ત્યારે આ ચોરીનો ભેદ ઉકેલવા સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમે તપાસ હાથ ધરી હતી. ઇલેક્ટ્રિક વાયરની ચોરી કરનાર શખ્સો એક ગાડીમાં ચોરી કરેલા વાયર લઇ વેચવા માટે થાન ચોટીલા રોડ પરથી પસાર થવાના હોવાની બાતમી સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમને મળી હતી.આથી એલસીબી ટીમે થાન ચોટીલા રોડ પર આવેલા અવલીયા ઠાકરના મંદિર પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ગાડી પસાર થતાં એલસીબીએ તેને અટકાવી તલાશી લેતા ગાડીમાંથી ૨૫૦ કિલો ઇલેક્ટ્રિક વાયરનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે ગાડીમાં બેસેલા ગભરૂભાઇ પિતાંબરભાઇ ગોઢકીયા, વિશાલભાઇ હીરાભાઇ ચુડાસમા, ઇશ્વરભાઇ હિરાભાઇ ચુડાસમા, રાજેશભાઇ છગનભાઈ મકવાણા, દિપકભાઇ મગનભાઇ ઉઘરેજીયા, ભાવેશભાઇ વિભાભાઇ કાવઠીયા અને સચિન ઉર્ફે ગોગી નીતીનભાઇ પરમારને વાયરના જથ્થા અંગે પુછપરછ કરતા સાતેય શખ્સોએ સાથે મળી ગુગલીયાણાની સીમમાંથી વાયરની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
દાહોદ જિલ્લાનાં તમામ ફોટોગ્રાફર વિડિયોગ્રાફર તેમજ કોઇપણ પ્રકાર ના ફોટોગ્રાફી-વિડિયોગ્રાફી કરનાર...
स्वामी विवेकानंद के विचारों से प्रेरित होकर भारतीय संस्कृति और योग से 12 हजार लोगों को जोड़ा
युवाओं के लिए प्रेरणा बनीं सुगंध भार्गव, अपनी अनोखी सुगंध से महका रही हैं उनके भविष्य को।
- कोटा...
જસદણ : સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી | MantavyaNews
જસદણ : સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી | MantavyaNews
Moscow Terrorist Attack: अपार्टमेंट ब्लास्ट से लेकर हवाईअड्डे पर हमले तक…, रूस ने कई बार झेला है आतंकी हमलों का दंश
रूस की राजधानी मास्को शुक्रवार को आतंकी हमले से दहल गई। चार से पांच अज्ञात बंदूकधारियों ने शहर के...
बैठकीत आमदार पवार यांनी गोरगरीब रुग्णांसाठी डायलिसिसचा प्रश्न व वाघोलीच्या वाहतूक कोंडीबद्दल प्रश्न
पुणे जिल्हाधिकारी कार्यालयात जिल्हा नियोजन समितीच्या बैठकीमध्ये आमदार अशोक पवार यांनी गोरगरीब...