થાન તાલુકાના ગુગલીયાણા ગામની સીમમાંથી ઇલેક્ટ્રિક વાયરની ચોરી કરનાર ૭ શખ્સોને થાન ચોટીલા રોડ પરથી સુરેન્દ્રનગર એલસીબી પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે ૨૫૦ કિલો વાયર, એક ગાડી તેમજ મોબાઇલ સહીત કુલ રૂા.૨,૪૨,૫૦૦ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.ગુગલીયાણા ગામની સીમમાં થોડા સમય પહેલા ઇલેક્ટ્રિક વાયરની ચોરીનો બનાવ બન્યો હતો. આ મામલે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી, ત્યારે આ ચોરીનો ભેદ ઉકેલવા સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમે તપાસ હાથ ધરી હતી. ઇલેક્ટ્રિક વાયરની ચોરી કરનાર શખ્સો એક ગાડીમાં ચોરી કરેલા વાયર લઇ વેચવા માટે થાન ચોટીલા રોડ પરથી પસાર થવાના હોવાની બાતમી સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમને મળી હતી.આથી એલસીબી ટીમે થાન ચોટીલા રોડ પર આવેલા અવલીયા ઠાકરના મંદિર પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ગાડી પસાર થતાં એલસીબીએ તેને અટકાવી તલાશી લેતા ગાડીમાંથી ૨૫૦ કિલો ઇલેક્ટ્રિક વાયરનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે ગાડીમાં બેસેલા ગભરૂભાઇ પિતાંબરભાઇ ગોઢકીયા, વિશાલભાઇ હીરાભાઇ ચુડાસમા, ઇશ્વરભાઇ હિરાભાઇ ચુડાસમા, રાજેશભાઇ છગનભાઈ મકવાણા, દિપકભાઇ મગનભાઇ ઉઘરેજીયા, ભાવેશભાઇ વિભાભાઇ કાવઠીયા અને સચિન ઉર્ફે ગોગી નીતીનભાઇ પરમારને વાયરના જથ્થા અંગે પુછપરછ કરતા સાતેય શખ્સોએ સાથે મળી ગુગલીયાણાની સીમમાંથી વાયરની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કમાં હસીનાબેન નામની મહિલાને ઇકો કારની ઠોકર મારી હત્યા કરી દેનારની ધરપકડ
ચોકમાં હસીનાબેન નામની મહિલાને ઇકો કારની ઠોકર મારી હત્યા કરી દેનારની ધરપકડ
ચોરોએ કરિયાણાની દુકાનમાં હાથ સાફ કર્યો
ફતેપુરા તાલુકાના સુખસર બસ સ્ટેશન વિસ્તાર હાઈવે માર્ગ ઉપર ચોવીસ કલાક અવરજવર કરતાં વાહનોથી ધમધમતા...
किसानों का 'चलो दिल्ली' मार्च, आज क्या होगा? Delhi वाले ये Traffic Advisory जान लें | Farmer Protest
किसानों का 'चलो दिल्ली' मार्च, आज क्या होगा? Delhi वाले ये Traffic Advisory जान लें | Farmer Protest
मा आ भाऊसाहेब चिकटगावकर पक्ष सोडण्याच्या तयारीत. !
ठोंबरेच्या पक्ष प्रवेशाला चिकटगावकरांचा
विरोध.
वैजापूर :- शैलेंद्र खैरमोडे
जिल्हा परिषद सदस्य पंकज ठोंबरे यांनी काँग्रेस सोडून...
ರಾಜ್ಯದಲ್ಲಿ ಅನ್ನಭಾಗ್ಯ ಯೋಜನೆ ಜಾರಿಯಾಗದಂತೆ ಕೇಂದ್ರ ಸರ್ಕಾರ ಕುತಂತ್ರ ನಡೆಸುತ್ತಿದೆ - ಸಚಿವ ಪ್ರಿಯಾಂಕ್ ಖರ್ಗೆ ಆರೋಪ
ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ಗ್ಯಾರಂಟಿಗಳಲ್ಲಿ ಒಂದಾದ "ಅನ್ನಭಾಗ್ಯ ಯೋಜನೆ"ಗೆ ಅಕ್ಕಿ ನೀಡದೆ ಕೇಂದ್ರ ಸರ್ಕಾರವು ಕುತಂತ್ರ...