વડોદ નેશનલ હાઇવે પર થોડા દિવસો અગાઉ એક કારના ચાલકે બેફામ સ્પીડમાં કાર ચલાવી વસ્તડી નજીક અકસ્માત સર્જયો હતો. આ હીટ એન્ડ રનના બનાવમાં ૧ વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે ૩ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. ત્યારે આ મામલે અકસ્માત સર્જનાર કારના ચાલક વિરૂધ્ધ જોરાવરનગર પોલીસ મથકે ફરીયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર અવારનવાર અકસ્માતના બનાવો બને છે ત્યારે વસ્તડી નજીક હાઇવે પર એક કારના ચાલકે રસ્તાની સાઇડમાં ઉભેલી ફળોની લારીને અડફેટે લઇ અકસ્માત સર્જયો હતો. જેમાં ફળ લેવા ઉભેલા ખેરવા ગામના મિનાજખાન મુરીદખાન મલેક તેમજ ફળની લારી ચલાવતા રાહુલભાઇને કારે ટક્કર મારતા બન્ને ફંગોળાઇને રસ્તાની સાઇડમાં આવેલ ખાઇમાં ખાબક્યા હતાં. જેમાં મિનાજખાનને ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતુ જ્યારે રાહુલભાઇને પગના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. ત્યારે અકસ્માત સર્જી મિનાજખાનનું મોત નિપજાવા મામલે કારના ચાલક વિરૂધ્ધ જોરાવરનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાવવામાં આવતા જોરાવરનગર પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
घर मे घुसकर सियार ने किसान व गाय पर किया हमला
अजयगढ के वार्ड नं 7 का है मामला
अजयगढ:-अजयगढ के आसपास का इलाका घने जगलो से घिरा हुआ है जहाँ आये दिन जंगली जानवरों का आना जाना लगा...
મરચીના પાકમાં રોગ આવતા દવાનો છંટકાવ કરતા ખેડૂતો
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં શાકભાજીની ખેતી તરફ ખેતી કરતા હોય ખેડૂતો...
દાંતીવાડાના આરખી નજીક બે ટ્રેલર ટકરાતાં ડ્રાઇવરનું મોત
દાંતીવાડા તાલુકાના આરખી ગામ પાસે બે ટ્રેલર ટકરાતા એક ટ્રેલરનો ડ્રાઇવર નીચે પડી જતા ગંભીર રીતે...