સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં અમદાવાદ પ્રાદેશિક કમિશ્નરની કચેરીના પ્રતિનિધિઓ દ્વારા સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકાની મુલાકાત લેવામા આવી હતી. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર- વઢવાણ - દુધરેજ નગરપાલિકા સેનીટેશન સ્ટાફ દ્વારા આજ રોજ નગરપાલિકા વિસ્તારની મેઈન બજારની સફાઈ માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સફાઈ કામગીરીમાં નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા તેમજ અમદાવાદ પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાની કચેરીના પ્રતિનિધિઓ સહિતના જોડાઈને સ્વચ્છતા માટેનો સંદેશો પાઠવ્યો હતો.આ ઉપરાંત આ સફાઈ કામગીરીમાં સ્થાનિક લોકો પણ જોડાયા હતા. નોંધનીય છે કે,’સ્વચ્છતા હી સેવા’ અભિયાન અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હેરિટેજ બિલ્ડિંગ, મહાપુરુષોની પ્રતિમા, નદી, તળાવ, સમુદ્ર કિનારાની સફાઇ, ધાર્મિક સ્થળો તેમજ જાહેર સ્થળો સહિતના સ્થળોની સફાઈ કરવામાં આવી રહી છે તેમજ સફાઈ માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.આ અભિયાન અંતર્ગત ચાલી રહેલ વિવિધ પ્રવૃત્તિઓમાં લોકો સહભાગી બની રહ્યા છે. નોંધનીય છે કે, સફાઈ અભિયાન અંતર્ગત થઈ રહેલ વિવિધ કાર્યક્રમો, પ્રવૃતિઓને સફળ બનાવવા માટે કારોબારી ચેરમેન જીતેન્દ્રસિંહ ચાવડા, સ્વચ્છતા સમિતિ ચેરમેન હરેશભાઈ જાદવ, સેનેટરી ઇન્સ્પેકટર હીનાબેન રાઠવા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mileage के मामले में भी बेहतर होगी नई Maruti Swift 2024, जानें पुरानी जेनरेशन के मुकाबले कैसी होगी नई गाड़ी
Maruti Suzuki की ओर से काफी जल्द ही Swift 2024 को लॉन्च करने की तैयारी हो रही है।...
দৰং জিলা কৃষি বিভাগৰ উদ্যোগত কঠিয়াসিচা কায্যাসূচি।
আজি দৰং জিলাৰ মঙ্গলদৈ সমষ্টিৰ ডাহী নগাঁওত জিলা কৃষি বিভাগৰ উদ্যোগত পশ্চিম মঙ্গলদৈ প্ৰগ্ৰেচিভ...
Volkswagen India अपनी चुनिंदा कारों पर दे रही है 3.4 लाख रुपये तक की छूट, जानें डिटेल्स
Volkswagen की फ्लैगशिप एसयूवी Tiguan के MY2023 निर्मित मॉडल पर इस महीने 3.40 लाख रुपये तक की छूट...
ಹಿಂದಿನ ಸರ್ಕಾರದ ಪ್ರಮುಖ ಹಗರಣಗಳ ತನಿಖೆ ಮಾಡಿಸುತ್ತೇವೆ - ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಹೇಳಿಕೆ
ಹಿಂದಿನ ಬಿಜೆಪಿ ಸರ್ಕಾರದ ಅವಧಿಯಲ್ಲಿ ನಡೆದಿರುವ ಪ್ರಮುಖ ಹಗರಣಗಳ ಬಗ್ಗೆ ತನಿಖೆ ಮಾಡಿಸುತ್ತೇವೆ ಎಂದು ಸಿಎಂ...
અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળા પહેલાં તંત્ર દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઇઃ છેલ્લા ૨ દિવસ દરમિયાન આશરે 300 દુકાનો આગળના દબાણો દૂર કરાયા..
આગામી તા. ૨૩ થી તા.૨૯ સપ્ટેમ્બર-૨૦૨૩ દરમિયાન વિશ્વ પ્રસિધ્ધ યાત્રધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો...