હાલોલ તાલુકાના ઘનસર આંટા ગામે એક મકાનની પાછળના ભાગે આવેલ ખેતરમાં એક મહાકાય ખૂંખાર મગર ટહેલતો જોવા મળતા ઘનસર આંટા ગામના લોકોમાં ભારે ભય સાથે ફાફડાટ ફેલાઈ જવા પામ્યો હતો જેમાં બનાવ અંગેની જાણ તાત્કાલિક વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુની ટીમના કર્મચારીઓને કરવામાં આવતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યું ટીમના કર્મચારીઓ સુભાષભાઈ પરમાર,રાજેન્દ્રસિંહ પરમાર,નિલેશભાઈ સોલંકી સહિતના કર્મચારીઓ તાત્કાલિક આ ખૂંખાર અને મહાકાય મગરનું રેસ્ક્યુ કરવાના સાધનો સાથે ઘનસર આંટા ગામ ખાતે દોડી આવ્યા હતા જેમાં ખેતરમાં આરામથી આમતેમ ટહેલતા મહાકાય મગરનું ભારે જહેમત બાદ સાવચેતી અને સલામતીપૂર્વકની વાઇલ્ડ લાઈફ રેસક્યું ટીમના કર્મચારીઓ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જેમાં ઝડપાયેલા મગરની લંબાઈ ૯ ફૂટ ૭ ઇંચ જેટલી હોવાની માહિતી મળવા પામી છે અને ગામના તળાવમાં આવી ચડેલો આ મગર તળાવમાંથી બહાર નીકળી ખેતરમાં આવી ગયો હશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું જેમાં ઘનસર આંટા ગામે ખેતરમાંથી ૯ ફૂટ થી પણ વધુ લંબાઈ ધરાવતા મહાકાય ખૂંખાર મગરનું વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુંની ટીમ દ્વારા તેની ઝડપી લેવામાં આવતા ગ્રામજનોએ હાશકારો અનુભવી રાહતનો શ્વાસ લીધો હતો જ્યારે ઝડપાયેલા આ મહાકાય ખૂંખાર મગરને પાવાગઢના ધોબી કુવા ખાતે આવેલા રેસ્ક્યું સેન્ટર ખાતે સહી સલામત છોડી મુકાયો હોવાની પણ માહિતી મળવા પામી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શ્રી ઉમિયા માતાજી ટ્રસ્ટ સિદ્ધસર દ્વારા માળીયા હાટીના ખાતે સ્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો
જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર માં પટેલ સમાજ ખાતે વિનામૂલ્યે સ્વરોગ નિદાન કેમ્પનું આયોજન...
પ્રોહિબિશન ગુનામાં પાંચ માસથી ફરાર આરોપી ઝડપાયો
ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ના ગુનામાં છેલ્લા પાંચ માસ થી ફરાર આરોપી મેહુલભાઈ ઉફે બુસો...
આ નવા વર્ષે આપણે કરીશું સેલ્ફ કરેક્શન
આ નવા વર્ષે આપણે કરીશું સેલ્ફ કરેક્શન - Video
મહેસાણા : દિવ્યાંગ ફ્રેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગો ના રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો, જુઓ Video
મહેસાણા : દિવ્યાંગ ફ્રેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગો ના રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો, જુઓ...
અંબાજીમાં ઘીના સેમ્પલ ફેલ થતાં ટેન્ડર પ્રક્રિયા રીન્યુ કરાયું નથી
અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદને લઈને ફરી એકવાર વિવાદ સર્જાયો છે. ફૂડ વિભાગ દ્વારા મેળા અગાઉ...