ધ્રાંગધ્રામાં મેળાના બંદોબસ્તમા આવેલા એસઆર‌પી જવાનનુ હાર્ટએટેકના કારણે મોત નીપજ્યું હતું. ધ્રાંગધ્રામાં બંદોબસ્તમા આવેલા એસ.આર.પી પોલીસ કોન્સ્ટેબલનુ મોતની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. જેમાં વડોદરા એસઆરપી ગ્રુપ- 9મા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અંકુશ નિવૃતિ સમુરે નામના એસઆરપી પોલીસ કોન્સ્ટેબલનુ મોત નીપજવાની ઘટના બની હતી.જેમાં પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકના કારણે પોલીસ કોન્સ્ટેબલનુ મોત થયું હોવાનું સામે આવ્યુ છે. જેમાં અન્ય એસઆરપી ગ્રુપ-9મા ફરજ બજાવતા સ્ટાફ દ્રારા પ્રાથમિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે એસઆરપી વડોદરા ગ્રુપ-9મા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અંકુશ નિવૃતિ સમુરેને મૃત જાહેર કર્યા હતા. આ ગોઝારી ઘટનાના પગલે હાલ ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે પોલીસ આવી અને વધુ તપાસ હાથ ધરી છે.