DANTIWADA // ચબુતરા અભિયાન અંતર્ગત વાઘરોળ ચાર રસ્તા ખાતે દાતા શ્રી ઈશ્વરભાઈ રબારી તરફથી ચબૂતરો મુકવામાં આવ્યો..

કમલેશ સિંહ દરબાર દાંતીવાડા

દાંતીવાડા તાલુકાના વાઘરોળ ખાતે ચબુતરા અભિયાન અંતર્ગત અબોલ જીવોને ચણ મળી રહે તેવા પુણ્ય કાર્યના શુભ આશયથી દાતાશ્રી ઈશ્વરભાઈ હમીરભાઇ રબારીએ તેમના ધર્મપત્ની સ્વ. જશીબેનના સ્મરણાર્થે વાઘરોળ ચાર રસ્તા પર શ્રી સધી પશુઆહાર ની પાસે ચબૂતરો મુકાવ્યો. આ શુભ પ્રસંગે ચબૂતરા અભિયાનને પ્રોત્સાહન પૂરું પાડવા શ્રી હરેશભાઈ દરજી - HD Motivation ઉપસ્થિત રહ્યા અને દાતાશ્રી તેમજ તેમના પરિવારજનોનું સાલથી સન્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત પુંજાભાઈ, યોગેશભાઈ , સુધીરભાઈ, ડૉ. આશિષભાઈ દવે, બાબુભાઈ રબારી, અરવિંદભાઈ રબારી વગેરે સૌ વેપારીજનો ઉપસ્થિત રહ્યા અને નિયમિત દાણા નાખવાનો અને તેની સાર - સંભાળ - સફાઈ નો સંકલ્પ કરવામાં આવ્યો. પર્યાવરણપ્રેમી શ્રી પરેશભાઈ દેસાઈ, ભવાની એન્જિનિયર્સ ખેરાલુ ખાતે તૈયાર થતા સુંદર આકર્ષક ડિઝાઇનના ,ત્રિરંગા કલરના ચબુતરા નું અભિયાન સતત આગળ વધતું રહે તે માટે દાતાઓનો સુંદર સહયોગ મળી રહ્યો છે તે બદલ ખૂબ ખૂબ આભાર સહ અભિનંદન પાઠવવામાં આવે છે.