એલસીબી શાખામાં હાલ પીઆઇ તરીકે જ્યારે વિ.વિ. ત્રિવેદી ચાર્જ સંભાળી રહ્યા છે.ત્યારે હાલમાં સુરેન્દ્રનગર શહેર ખાતે નવા આવેલા પોલીસ અધિક્ષક પંડ્યા દ્વારા એલસીબી ખાતે 8 ઓર્ડર આપવામાં આવ્યા છે જેમાં સુરેન્દ્રનગર બી ડિવિઝન માંથી વિજયસિંહ પ્રવિણસિંહ પરમાર અને ધોરાવનગર પોલીસ મથક માંથી સાહિલભાઈ સેલત તેમજ ચુડા થી ભરતભાઈ સભાડ તેમજ પાટડી થી દશરથભાઈ ધાંધર તેમજ મૂડીથી ગોપાલસિંહ ઝાલા અને સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન માંથી મેહુલભાઈ મકવાણા તેમજ સાયલા થી કુલદીપભાઈ બોરીયા અને થાનથી કરસનભાઈ લોહ ની નિમણૂક એલસીબી માં આપવામાં આવી છે જ્યારે હજુ એલસીબી માં જમાદારના ઓર્ડર કરવાના બાકી રાખવામાં આવ્યા છે જે પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેવું હાલમાં એલસીબી પીઆઇ ત્રિવેદી દ્વારા જણાવવામાં આવ્યું છે.