ખેડા ઠાસરા

ડાકોર..

*ભવન્સ કૉલેજ ડાકોરમાં કવિ ઉમાશંકર જોશી-જયંતીની ઉજવણી કરવામાં આવી.*

ભવન્સ કૉલેજ ડાકોરમાં અનુસ્નાતક ગુજરાતી વિભાગ દ્વારા તારીખ ૨૧/૦૭/૨૦૨૩ ના રોજ કવિ ઉમાશંકર જોશીની જયંતી નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા સર્જકના જીવન અને કવનની વાતો રજૂ કરવામાં આવી હતી. પ્રા.મનોજ પરમારે કાર્યક્રમની ભૂમિકા રચી આપી હતી. વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા કાવ્યપઠન અને કાવ્યગાન રજૂ કરવામાં આવ્યું હતું. P.G. વિભાગના ઇન્ચાર્જ ડૉ.વિરલ પટેલ તેમજ કૉલેજના ઈન. આચાર્ય ડૉ. ટી. આર. ત્રિવેદી અને ઉપાચાર્ય ડૉ.એ.કે.ચૌધરીએ કાર્યક્રમને શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રા.રાણા બાવળિયાએ પ્રસંગોચિત વાત રજૂ કરી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમનુ સંચાલન વિદ્યાર્થીની રાઠોડ અંજલીએ કર્યું હતું.