ધ્રાંગધ્રા શહેરનાં મોચીવાડ રેલવે બ્રિજના પાટા ઉપર એક યુવાને મોત વહાલું કરીને ચાલુ ટ્રેન નીચે પડતું મૂક્યું હતું જેમાં યુવકનાં બંને પગને ગંભીર ઈજાઓ થવા પામી હતી.લોકોની સતત અવર જ્વર વાળો વિસ્તાર હોવાથી યુવકને તત્કાલ સરકારી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં ગંભીર રીતે ઘવાયેલ યુવકના શરીરમાંથી લોહી વધુ પ્રમાણમાં બહાર નીકળી રહ્યું હતું તયારે ધ્રાંગધ્રા સિવિલ હોસ્પિટલના હાજર તમામ નર્સિંગ સ્ટાફ દ્વારા બનતા તમામ પ્રયત્નો કરવા છતાંય યુવક મહેશ બચુભાઈ બારૈયા જિંદગી સામે હારી ગયો હતો. હજુ ત્રણ દિવસ પહેલા જ રેલવે ફાટક પાસે બે વ્યક્તિઓના ઇજાગ્રસ્ત હાલતમાં અકસ્માતની હાલતમાં મોતની ની પ જીયા હોવાનું આવવાનું બહાર આવ્યું હતું અગાઉ પણ ટ્રેનમાંથી પડી ગયેલ યુવાનનું પણ મોત નીપજ્યું હતું આમ જોવા જઈએ તો એક સપ્તાહમાં આ અકસ્માતમાં ચારના મોતની નીજીયા હોવાનું બહાર આવ્યું છે ત્યારે રેલવેમાં પણ હવે અકસ્માતો ની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી હોવાનું પણ લોકોમાં ચર્ચાએ રહ્યું છે.