લીંબડીમાં ઉપરવાસમાં વધુ વરસાદને લીધે તાલુકાના ટોકરાળા ગામના સર્વિસ રોડ ઉપર પાણી આવી જતા સામેની નર્મદા કેનાલ ઉપર 7 વ્યક્તિઓ ફસાઈ ગયા હતા. જેથી ટોકરાળા ગ્રામ પંચાયતના સરપંચ અને ગામના લોકોએ આ સાત વ્યક્તિઓને જે.સી.બી.ની મદદથી રેસ્ક્યુ કરીને બચાવી લીધા હતા.સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અને ચૂડા પંથકમાં ભારે વરસાદના પગલે સર્વત્ર જળબંબાકારની કફોડી સ્થિતિ સર્જાઇ છે. ચૂડા પંથકના અનેક વિસ્તારો ગળાડૂબ પાણીમાં ગરકાવ બન્યા છે. જ્યારે નદી નાળાઓ છલકાવવાની સાથે અનેક રસ્તાઓ પ્રભાવિત બન્યા છે. એવામાં લીંબડીમાં ઉપરવાસમાં વધુ વરસાદને લીધે લીંબડી તાલુકાના ટોકરાળા ગામના સર્વિસ રોડ ઉપર પાણી આવી જતા સામેની નર્મદા કેનાલ ઉપર 7 વ્યક્તિઓ ફસાઈ જતા રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ટોકરાળા ગ્રામ પંચાયતના સરપંચ અને ગામના લોકોએઆ સાત વ્યક્તિઓને જે.સી.બી. લઈને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે લીંબડીની નદીમાં નવા નીર આવતા લીંબડી જગદીશ આશ્રમ રોડ પાસે આવેલી નદીના પટમાં બેઠો કોઝવે રોડ જે લીંબડીથી પાંદરી, કારોલ, રાણપુર બાજુએ જોડતો રોડ છે. તેમાં હાલમાં કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે. જેથી લીંબડી કે.ડી સોલંકી મામલતદાર તેમજ લીંબડી પી.એસ.આઈ. જાડેજા અને પોલીસ ટીમ સહિતના અધિકારીઓએ તાકીદે સ્થળ ઉપર મુલાકાત લઈને પરિસ્થિતિ જોઈને હાલ તે બન્ને સાઈડ ઉપર રસ્તો બંધ કરાવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अल्पवयीन मुलांमध्ये आत्महत्येचं प्रमाण वाढलं; काय आहेत कारणं? जाणून घ्या
अल्पवयीन मुलांमध्ये आत्महत्येचं प्रमाण वाढलं; काय आहेत कारणं? जाणून घ्या
Oppo K12x 5G आज होगा भारत में लॉन्च, 5100mAh की तगड़ी बैटरी से लैस होगा Smartphone
ओप्पो अपने भारतीय ग्राहकों के लिए आज एक नया फोन लॉन्च कर रहा है। आज भारत में Oppo K12x 5G लॉन्च...
વલસાડ: મલાવ રેલ્વે ફાટક પર એક એસ.ટી બસ અધવચ્ચે જ અટકી જતા મુસાફરના જીવ અધ્ધર થઈ ગયા હતા
વલસાડ: મલાવ રેલ્વે ફાટક પર એક એસ.ટી બસ અધવચ્ચે જ અટકી જતા મુસાફરના જીવ અધ્ધર થઈ ગયા હતા
જંબુસરના ભરકોદ્રા કંસાગરના ખેડૂતોની નહેર ખાતામાં જમીન સંપદાન કરવા નો મામલો
જંબુસરના ભરકોદ્રા કંસાગરના ખેડૂતોની નહેર ખાતામાં જમીન સંપદાન કરવા નો મામલો
Rashmi Thackeray यांची Uddhav Thackeray यांना दसरा मेळाव्याला शिवाजी पार्क मिळताच प्रतिक्रिया काय?
Rashmi Thackeray यांची Uddhav Thackeray यांना दसरा मेळाव्याला शिवाजी पार्क मिळताच प्रतिक्रिया काय?