મધ્યપ્રદેશની સગીરા ભાઈ સાથે ઝઘડો થતાં કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી જઈ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન આવી પહોંચતા આરપીએફના પી.એસ.આઈ.ને મળતા 181 અભિયમની ટીમને જાણ કરી હતી અને 181 ટીમના કાઉન્સિલર મધુબેન વાણીયા, કોન્સ્ટેબલ જાગુબેન ગાબુ અને પાઇલોટ બીપીનભાઈ ઇન્દરીયા ઘટના સ્થળે પહોંચ્યા હતા. સગીરાની પૂછપરછ કરી તેના ભાઈ સાથે વાત કરી સગીરાનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.