ગુજરાત સરકાર દ્વારા ૨૦૦૭ માં શરૂ થયેલી નિ:શુલ્ક સેવા એટલે ૧૦૮ કોઈપણ કટોકટી ની પળ હોય અને એકજ નંબર યાદ આવે તે ૧૦૮. ૧૦૮ ની સેવા ની વાત કરીએ તો આ સેવા ગુજરાત ભર મા મોખરે છે અને પ્રસુતિ ની પીડા,રોડ અકસ્માત,છાતીમાં દુઃખાવો,જેવી ગંભીર કટોકટી મા અમૂલ્ય જીવ બચાવ્યા છે અને તેવો જ એક ઉમદા કામગીરી ની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લા ના અંબાજી ૧૦૮ ની ટીમને અંદાજે સવારે 08:20 વાગ્યાની આસપાસ કુંભારીયા ગામ નો પ્રસુતિ પીડા નો કોલ મળતા તાત્કાલિક અંબાજી 108 ના EMT અલ્કાબેન અને PILOT મનોજભાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યાં પહોંચતા દર્દી ના પરિવારજનોને સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે દર્દી ડુંગરાળ વિસ્તારમાં છે અને દર્દી ને અસહ્ય પીડા થાય છે અને ત્યાં સુધી એમ્બ્યુલન્સ જઈ શકે તેવી વ્યવસ્થા નથી. ત્યાં તાત્કાલિક ૧૦૮ ના કર્મચારીઓએ એક ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર એમ્બ્યુલન્સ મા રહેલ સ્ટેચર અને ડિલિવરી કીટ લઈને ડુંગરાળ વિસ્તાર માં અંદાજે ૦૧ કિલોમીટર સુધી ચાલીને દર્દી સુધી પહોચ્યા અને ત્યાર બાદ દર્દી ને તપાસતા માલૂમ પડ્યું કે દર્દી ને પ્રસુતિ ની પીડા નો દુખાવો અસહ્ય છે અને સ્થળ પર જ ડિલિવરી કરાવવી પડશે. જ્યાં ૧૦૮ ના EMT દ્વારા ૧૦૮ ની હેડ ઓફિસ મા સ્થગિત ડૉ. ના માર્ગદર્શન અને ૧૦૮ માં રહેલ ડિલિવરી કીટ તથા જરૂરી વસ્તુઓની મદદ થી સફળ પ્રસુતિ કરાવી અને દીકરી નો જન્મ થયો હતો. ત્યાર બાદ દર્દી ને ૧૦૮ માં રહેલા સ્ટચેર(સ્પાઈન બોર્ડ ) પર લઈને ૦૧ કિલોમીટર સુધી ચાલીને એમ્બ્યુલન્સ મા લીધા બાદ માતા અને બાળક ને વધુ સારવાર અર્થે નજીકના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. ત્યાં દર્દી ના પરિવારજનો દ્વારા ૧૦૮ ટીમ ની સુંદર કામગીરીને બિરદાવી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો સાથે એ પણ જણાવ્યું હતું કે કોઈ પણ પરિસ્થિતિમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા નો લાભ લેવાથી અને ૧૦૮ ને સમયસર બોલાવાથી ઘણા લોકોના અમૂલ્ય જીવ બચી શક્યા છે .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જેસાવાડા ના વતની અને ભુતવડ પ્રાથમિક શાળાના આચાર્ય કિરણસિંહ ચાવડાને કબીર કોહિનૂર એવોર્ડ 2023 માટે પસંદ કરવામાં આવ્યા
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામના વતની અને ભૂતવડ પ્રાથમિક શાળાના આચાર્ય કિરણસિંહ...
श्री स्वामी समर्थ पाऊस जास्तीचा पडल्यामुळे वृक्षारोपणाचा कार्यक्रम रद्द
श्री स्वामी समर्थ आध्यात्मिक सेवा व बाल संस्कार केंद्र उदगीर उदगीर शहरातील व परिसरातील सर्व...
सिमरिया तहसील क्षेत्र के किसानों ने राज्यपाल एवं मुख्यमंत्री के नाम तहसीलदार को सौंपा ज्ञापन!!
सिमरिया तहसील क्षेत्र के किसानों ने राज्यपाल एवं मुख्यमंत्री के नाम तहसीलदार को सौंपा ज्ञापन!!
जगप्रसिद्ध अजिंठा लेणी येथे पर्यटकांची गर्दी.
जगप्रसिद्ध अजिंठा लेणी येथे पर्यटकांनी गर्दी पहावयास मिळाली.निसर्गाच्या सौंदर्याने नटलेले व...
Vodafone Idea FPO News | Vi लॉन्च करेगी FPO, 18000 करोड़ रुपये जुटाने का प्लान, इस तारीख से होगा ओपन
Vodafone Idea FPO News | Vi लॉन्च करेगी FPO, 18000 करोड़ रुपये जुटाने का प्लान, इस तारीख से होगा ओपन