જય રણછોડ માખણ ચોર અષાઢી બીજ અને રથયાત્રાના પવિત્ર દિવસે આણંદ જીલ્લા ભાજપા પ્રમુખ અને સોજીત્રા વિધાનસભાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલે પેટલાદ રણછોડજી મંદિરે ડાકોરના ઠાકોરના દર્શન કરી જય રણછોડના નારા સાથે રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું

આ પ્રસંગે તેઓની સાથે પૂર્વ મંત્રીશ્રી સી.ડી.પટેલ, પેટલાદના ધારાસભ્યશ્રી કમલેશભાઈ પટેલ, આણંદ જિલ્લા પંચાયત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પ્રદીપભાઈ પટેલ, પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ પટેલ, આણંદ જિલ્લા કલેકટરશ્રી ડી.એસ.ગઢવી, જિલ્લા પોલીસ વડા અધિકારીશ્રી પ્રવીણકુમાર મીણા, પેટલાદ પ્રાંત અધિકારીશ્રી પી.આર.જાની, સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, પેટલાદ નગરપાલિકા કાઉન્સિલરશ્રીઓ અને મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા..