રાણપુર તાલુકામાં ચાલી રહેલા જુગારધામ પ્રત્યે પોલીસ અજાણ હતી ત્યાં સ્ટેટ મોનીટરિંગ સેલ ગાંધીનગરે સુંદરિયાણા ગામમાં દરોડા પાડી પાંચ જુગારીને ઝડપી પાડયા હતા. જ્યારે સાત જુગારી ભાગવામાં સફળ રહ્યા હતા. રાણપુર તાલુકાના સુંદરિયાણા ગામમાં રાજુભાઈ બાબુભાઈ ખાચરની વાડીની બાજુમાં ત્રિભેટ લીમડાના ઝાડ નીચે જુગાર રમાઈ રહ્યો હોવાની સ્ટેટ મોનીટરિંગ સેલ ગાંધીનગરને બાતમી મળી હતી. બાતમીના આધારે દરોડો પાડતાંઅશ્વિનભાઈ બાબુભાઈ બાવળીયા (ઉં.વ.30, રહે.ગઢડા રોડ, બોટાદ),રવિભાઈ કરસનભાઈ બોરીચા (ઉં.વ.42, રહે. ભાવનગર), નિલેશ અરવિંદભાઈ બોરીચા (ઉં.વ.21, રહે ભાવનગર), રણછોડભાઈ કરસનભાઈ વાટુકિયા (ઉં.વ.30, રહે. સાંગણપુર તા.રાણપુર) તથા મુન્નાભાઈ હીરાભાઈ રોજાસરા (ઉં.વ.39, રહે. બોટાદ)ને જુગાર રમતા ઝડપી લીધા હતા.જ્યારે જુગાર ચલાવનાર મુખ્ય વોન્ટેડ આરોપી વિક્રમ મેરૂભાઈ ગોહિલ (રહે. હડાળા ભાલ, તા.ધંધુકા),વોન્ટેડ આરોપી મુન્નાભાઈ કોળી (રહે. હડાળા ભાલ, તા. ધંધુકા), વોન્ટેડ આરોપી કુલદીપસિંહ દરબાર (રહે. ભાવનગર),જુગાર રમવાની વ્યવસ્થા પૂરી પાડનાર વોન્ટેડ આરોપી રાજુભાઈ બાબુભાઈ ખાચર (રહે. સુંદરીયાણા તા. રાણપુર) તથા અન્ય ત્રણ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. સ્ટેટ મોનીટરિંગ સેલએ 1.97 લાખનો મુદ્દામાલ કબજે કરીને 12 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पंचकर्म चिकित्सा शिविर में 927 रोगी लाभान्वित .....
बालचंदपाडा स्थित राजकीय जिला आयुर्वेद चिकित्सालय के पंचकर्म विशिष्टता कैंद्र में संविधान दिवस...
মৰিগাঁও মহাবিদ্যালয়ত ধপাঁত বিৰোধী সজাগতা অভিযান
জিলা ধঁপাত নিয়ন্ত্ৰণ কোষৰ উদ্যোগত আৰু মৰিগাঁও জিলা প্ৰশাসনৰ সহযোগত জিলা প্ৰতিষ্ঠা দিৱস উপলক্ষে...
50MP कैमरा, 5000mAh बैटरी और Snapdragon चिपसेट के साथ लॉन्च हुई Realme 12 Pro सीरीज; जानिए कीमत और खूबियां
Realme 12 Pro 5G Series लॉन्च हो चुकी है। इस सीरीज में कंपनी ने दो नए स्मार्टफोन Realme 12 Pro 5G...
Ajit Pawar म्हणाले की दसरा मेळाव्यानंतर स्पष्ट होईल की खरी शिवसेना शिंदेंची की ठाकरेंची |Shivsena
Ajit Pawar म्हणाले की दसरा मेळाव्यानंतर स्पष्ट होईल की खरी शिवसेना शिंदेंची की ठाकरेंची |Shivsena
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે: આજે ગુજરાતના કચ્છમાં ‘વીર બાલક મેમોરિયલ’નું ઉદ્ઘાટન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ગુજરાતના કચ્છના અંજાર શહેરમાં ‘વીર બાલક મેમોરિયલ’નું...