સુરેન્દ્રનગર એલ.સી.બી પોલીસે બજાણા-પાટડી રોડ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સહિત રૂ.2,90,170નો મુદામાલ ઝડપી પાડ્યો હતો.આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર એલસીબી પીઆઇ વી.વી.ત્રિવેદી સહિતના પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા એ સમયે માલવણની કેનાલ પાસે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી કે, બજાણા-પાટડી રોડ પરથી વિદેશી દારૂ ભરી અને એક વર્ના ગાડી નિકળનારી છે, જે બાતમીના આધારે બજાણા-પાટડી રોડ પર વોચ ગોઠવતા બાતમીવાળી વર્ના ગાડી આવતા તેને કોર્ડન કરી રોકી અંદર બેઠેલા બંને ઇસમોને નીચે ઉતારી ગાડીમાં તપાસ હાથ ધરી હતી.જેમાં ગાડીની ડેકીમા પાછળના ભાગે ચોરખાનું બનાવી તેમા અને સીટના પાછળના ભાગે ચોરખાનુ બનાવેલુ હતુ. જેમાં બંને ચોરખાનામાં તપાસ કરતા અંદરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જે બાબતે પાસ પરમીટ માંગતા મળી આવી નહી નહોંતી. જેથી ગાડીમાં સવાર બંને શખ્સો રામસ્વરૂપ લક્ષ્મણરામ ખીચડી ( રહે-ગોડા, તા.છેડવા, જી.બાડમેર ( રાજસ્થાન ) અને જયકીશન ખેરાજરામ ગુર્જર ( રહે-મેઘાવા, તા.ચિતલવાલા જી.ઝાલોર ( રાજસ્થાન )વાળા પાસેથી વિદેશી દારૂની બોટલો નંગ-84, કિંમત રૂ.70,170 અને મોબાઈલ નંગ-2 રૂ.20,000 હુંડાઈ વર્ના ગાડી, કિ.રૂ- 2,00,000 મળી કુલ રૂ. -2,90,170નો મુદામાલ કબ્જે કરી આરોપીની વધુ પૂછપરછ કરતા ભજનલાલ રામચંદ્ર બિશનોઈ ( રહે.ગોડા તા.છેડવા જી.બાડમેર ( રાજસ્થાન )વાળાએ ગાડી આપી અને સામખીયાળી સુધી લઈ જવા કહ્યું હતુ. જેથી ત્રણેય ઈસમો વિરૃદ્ધ બજાણા પોલીસ મથકે પ્રોહી અંગેનો ગુન્હો નોંધી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গাম্বিয়াত ৬৬টা শিশুৰ মৃত্যু! ভাৰতৰ চাৰিটা কফ চিৰাপক প্ৰাণঘাতী আখ্যা বিশ্ব স্বাস্থ্য সংস্থাৰ
চাৰিটা ভাৰতীয় কফ চিৰাপ সেৱনৰ ফলত গাম্বিয়াত ৬৬ জন শিশুৰ মৃত্যু হোৱাক লৈ বিশ্ব স্বাস্থ্য সংস্থাই...
Today's Trending Stocks: जानें आज किन Stocks में निवेशकों की हुई जमकर कमाई और कहां लगी निराशा हाथ?
Today's Trending Stocks: जानें आज किन Stocks में निवेशकों की हुई जमकर कमाई और कहां लगी निराशा हाथ?
पुणे हादरलं, गर्दीने घेतला प्रवाशाचा बळी, पुणे रेल्वे स्थानकात चेंगाराचेंगरी | Pune Stampede Death
पुणे हादरलं, गर्दीने घेतला प्रवाशाचा बळी, पुणे रेल्वे स्थानकात चेंगाराचेंगरी | Pune Stampede Death
પોરબંદરમાં ભોય વસાહત પાસે 30 ફૂટ નું ત્રિશૂળ અને ડમરું શિવલિંગ પાસે રખાશે
પોરબંદરમાં ભોય વસાહત પાસે 30 ફૂટ નું ત્રિશૂળ અને ડમરું શિવલિંગ પાસે રખાશે