સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ નગરપાલિકા દ્વારા કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્ર મુંજપરાના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર, ઔદિચ્ય બ્રહ્મ સમાજની વાડી ખાતે ભગવાન પરશુરામ ચોકનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્ર મુંજપરાએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગરની મધ્યમાં પરશુરામ ચોકનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે બ્રહ્મ સમાજ માટે એક યાદગાર પ્રસંગ બની રહેશે. મંત્રીએ આ ચોકનું નિર્માણ કરવા બદલ નગરપાલિકા તેમજ વિશાલભાઈ દવેના પરિવારને અભિનંદન પાઠવ્યાં હતા.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. ગુજરાત સરકારની સમાજ કલ્યાણ વિભાગની લોકોપયોગી વિવિધ યોજનાઓ અને ભારત સરકારની સ્કીલ ઇન્ડિયા, ન્યૂ ઇન્ડિયા સ્કીમ જેવી યોજનાઓ વિશે વિગતવાર વાત કરીને આવી યોજનાઓના લાભ લેવા પણ ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે અગ્રણી વર્ષાબેન દોશી અને હિતેન્દ્રસિંહ ચૌહાણે પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા. નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્યએ સ્વાગત પ્રવચન અને કારોબારી ચેરમેન મનહરસિંહ રાણાએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં અગ્રણી સર્વ જયેશભાઈ પટેલ, ધીરુભાઈ સિંધવ, જીજ્ઞાબેન પંડ્યા, ઝંખનાબેન ચાંપાનેરી, હાર્દિકભાઈ ટમાલીયા, રાજભા ઝાલા અને સુનિલભાઈ ભટ્ટ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
‘कोलकाता में बिहार के बच्चों के अपमान के लिए राज्य के नेता जिम्मेदार-प्रशांत किशोर
चुनावी रणनीतिकार प्रशांत किशोर ने बिहार के युवाओं के साथ दूसरे राज्यों में होने वाले दुर्व्यवहार...
फेडरेशन का इवेंट इंडस्ट्री का गठन, सामाजिक सरोकारों से जुड़े कार्यक्रम करेंगे
नवगठित फेडरेशन ऑफ इवेंट इंडस्ट्रीज कोटा द्वारा एक नवाचार करने का संकल्प लिया गया है। फेडरेशन...
মৰাণহাটত আন্তঃজিলাসাঁতোৰ প্ৰতিযোগিতা সম্পন্ন, চাৰিখন জিলাৰ ১৮০গৰাকী প্ৰতিযোগীৰ অংশ গ্ৰহন।
চৰাইদেউ জিলাৰ মৰাণ হাটত অৱস্থিত মৰাণ মহাবিদ্যালয়ৰ চুইমিং পুলত দেওবাৰে দিনযোৰা কাৰ্য্যসূচীৰে...
राजसमंद में बड़ा हादसा, 3 लोगों की मौत:राशन से भरा ट्रक 30 फीट गहरी खाई में गिरा, ड्राइवर समेत 3 घायल
राजसमंद में चारभुजा थाना इलाके में गुरुवार देर रात एक बड़ा हादसा हो गया। इस सड़क हादसे में 3...
ગોધરા ખાતે સંતો ની હાજરીમાં બાળ સંસ્કાર કેન્દ્ર નુ ઉદઘાટન
*શ્રી સ્વામિનારાયણ ગાદી ઇન્ટરનેશનલ ટેકનો સ્કૂલ ગોધરા, પંચમહાલ ખાતે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી...