સી. યુ. શાહ સરકારી પોલિટેકનિક સુરેન્દ્રનગર ખાતે તારીખ 18/04/2023 ના રોજ થેલેસેમિયા ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીના ભવિષ્યને ધ્યાનમાં લઈને સી યુ શાહ સરકારી પોલીટેકનીક સુરેન્દ્રનગર, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સુરેન્દ્રનગર તથા રોટરી ક્લબ ઓફ વઢવાણ મેટ્રોના સંયુક્ત આયોજનથી આયોજન કરવામાં આવ્યું હતું.થેલેસેમીયા નો ટેસ્ટ ભવિષ્ય માટે ખૂબ જ અગત્યનો હોય સંસ્થાના આચાર્યશ્રી એમ બી કાલરીયા સાહેબ તેમજ જીમખાનાના અધિકારી શુક્લા સાહેબ તથા વી કે ડોડીયા સાહેબ એ ખૂબ રસ દાખવી આયોજન સફળ બનાવ્યું હતું.