પરીક્ષાર્થીઓ કેન્દ્રમાં પ્રવેશ સમયે કોઇ પણ ડિજિટલ ઉપકરણ કે સાહિત્ય સાથે રાખી શકશે નહીં (રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) દાહોદ જિલ્લામાં આગામી તા.૩ એપ્રીલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજકેટની જાહેર પરીક્ષાઓ યોજાશે. પરીક્ષામાં ગેરરીતિ ના થાય એ માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એ.બી. પાંડોરે કેટલાંક પ્રતિબંધાત્મક આદેશો કર્યા છે. દાહોદ જિલ્લામાં કુલ ૧૧ પરીક્ષા કેન્દ્રો ખાતે આ પરીક્ષા યોજાશે.
તદ્દનુસાર, જિલ્લામાં જુદા જુદા પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં આવેલા ઝેરોક્ષ મશીનના સંચાલકો દ્વારા પરીક્ષાના સમય દરમ્યાન ઝેરોક્ષ મશીનનો દૂરઉપયોગ રોકવા ઉક્ત પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ઉપર સવારના ૯ કલાકથી સાંજના ૧૭ કલાક સુધી ઝેરોક્ષ મશીનો, કોપીયર મશીનનો ઉપયોગ સદંતર બંધ રાખવા ફરમાવવામાં આવે છે.
પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ સમયે પ્રશ્નપત્રને લગતું કોઇ પણ સાહિત્ય, પુસ્તક, ગાઇડ, કેલ્ક્યુલેટર, ચાર્ટ તેમજ મોબાઇલ ફોન, ડિજિટલ ઘડીયાલ કે અન્ય કોઇ પણ પ્રકારના ઇલેક્ટ્રોનીક સાધનો ઉપર પ્રતિબંધ છે. જેથી આવા સાધનો – સાહિત્ય સાથે પ્રવેશ કરી શકશે નહીં કે સાથે પણ લાવી શકાશે નહીં. આ હુકમનું ઉલ્લઘંન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.