આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દાહોદ જિલ્લા ની તારીખ 18 શનિવાર ના રોજ કાર્યકારણી બેઠક દાહોદ પંચાલ સમાજની વાડીમાં યોજવામાં આવી. (રાજ કાપડિયા 9879106469 - સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દાહોદ જિલ્લાની ટીમ દ્વારા 18 તારીખ શનિવારના રોજ દાહોદ જિલ્લાની કાર્યકારી બેઠક યોજવામાં આવી જે બેઠકમાં દક્ષિણ પ્રાંતના અધ્યક્ષ કિશોરભાઈ કબાટવાલા, હસમુખભાઈ રૈયાણી પ્રાંત સંયુક્ત મહામંત્રી, રાજુભાઈ ભારદ્વાજ પ્રાંત સહ સંગઠન મંત્રી, વીએચ પટેલ સાહેબ દાહોદ જિલ્લા AHP અધ્યક્ષ, નાનુભાઈ માવી રાષ્ટ્રીય બજરંગ દળ મંત્રી, જીગ્નેશભાઈ પંચાલ દાહોદ જિલ્લા સંયુક્ત મહામંત્રી, હેતલબેન ભટ્ટ દાહોદ જિલ્લા રાષ્ટ્રીય મહિલા પરિષદ અધ્યક્ષ, તેમાં અન્ય કાર્યકર્તા અશોકભાઈ આમલીયાર, નરેશભાઈ ભુરીયા, વિનોદભાઈ ખપેડ, દિનેશભાઈ પરમાર, તેમજ અન્ય જિલ્લાની ટીમ ઉપસ્થિત રહી, સાથે મીડિયા સેલના તમામ પત્રકાર મિત્રો નું સન્માન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના પ્રમુખ મહેમાનો અને કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું, આ કાર્યક્રમ માં સંગઠનના આગામી દિવસોના કાર્યક્રમ ત્રિશુલ દીક્ષા, એક મુઠ્ઠી અનાજ યોજના, હિન્દુ કેન્દ્ર ચલાવવા, માંઅનપુરણા અન્નક્ષેત્ર ચાલુ કરવા, તેમજ હિન્દુ ધર્મ અને હિન્દુઓ ની સન્માન સુરક્ષા અને સમૃદ્ધિ ને ધ્યાનમાં રાખી સંગઠનનો વ્યાપ વધારવો અને આગામી દિવસોમાં હિન્દુત્વ માટે અને હિન્દુઓ માટે બને તેટલા કાર્યક્રમો કરવા અને હિન્દુઓનું એકત્રીકરણ કરવું સાથે હિન્દુ અને હિન્દુત્વની ચિંતા કરતા હિન્દુ રાષ્ટ્ર ની માંગણીને લઈને સંગઠને સતત પ્રયત્ન કરવા અને ચિંતન કરવું.