સાબરકાંઠા જિલ્લા પંચાયત હિંમતનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલના હસ્તે ૫ એમ્બ્યુલન્સ વાનને લીલી ઝંડી અપાઇ હતી. ન્યુ ગુજરાત પેટર્ન અંતર્ગત પોશીના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઉપયોગ અને આદિજાતિ   વિસ્તારના નાગરીકોને સારી આરોગ્ય સેવા મળી રહે તે માટે ૫ નવી એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કરાયું. સાબરકાંઠા જિલ્લાના આદિજાતિ વિસ્તારમાં આરોગ્ય સુવિધાઓને વધુ સુધઢ બનાવવા માટે નવીન ૫  એમ્બ્યુલન્સ વાન સેવા મહત્વની સાબિત થશે. આ પ્રસંગે આરોગ્ય સમિતિના ચેરમેનશ્રીઓ, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી તેમજ જિલ્લા પંચાયતનો સ્ટાફ હાજર રહ્યો હતો.