ચૂંટણી આવે એટલે નેતાઓ ચૂંટણીમાં વિજયી બનવા હેતુસર અવનવા વચનો જરૂરિયાત મુજબ પ્રજા સમક્ષ મુકતા હોય છે.મોટેભાગે એવા પણ કિસ્સા જોવા મળે છે કે, નેતાઓ મસમોટા વાયદા વચનો આપીને ખોબલે ભરીને મતો પણ મેળવી જાય છે.પરંતુ ડોકિયું કરવા પણ નજરે પડતા નથી.નોંધનીય છે કે, ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે ચૂંટણીના પ્રચાર દરમિયાન માછી સમાજની મુલાકાત કરી હતી.જે દરમિયાન આગેવાનોએ માછી સમાજની વાડીના ખુલ્લા પ્લોટમાં બાંધકામ અંગેનો પ્રસ્તાવ મુક્યો હતો જેને ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે માછી સમાજનું સદર કામ પૂર્ણ કરવા વચન આપ્યું હતું.હાલ ટુક જ સમયમાં માછી સમાજની વાડીના બાંધકામનું કામ કરી તેનું લોકાર્પણ સમાજને કરતા જ માછી સમાજે ધારાસભ્ય ચિરાગભાઈ પટેલનું સન્માન કર્યું હતું.અને આભાર વ્યક્ત કર્યો હતો.