સોમનાથ ભાવનગર હાઇવે પર ઉનાના રાણવશી ગામના પાટિયા નજીક એક કાર ચાલકે બાઇકને અડફેટે લેતાં બાઈક સવાર યુવાનને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. કાર સ્પીડમાં આવતી હોય અકસ્માત સર્જાતા હાઇવેથી 50 ફુટ દૂર કાર ફંગોળાઈ જઈ દિવાલ સાથે અથડાતા પલ્ટી ખાઈ કારમાં ચાલકોને પણ ઈજા પહોંચી હોવાનું જાણવા મળેલું છે.ઉનાના સોનારી ગામે રહેતા દેગણભાઇ વીરાભાઇ સોલંકી બાઈક પર સીમાસીથી પરત પોતાના ગામે ઘરે જતાં હતાં. ત્યારે તાલુકાના રાણવશી ગામના પાટિયા પાસે પુરપાટ ઝડપે આવતી એક કારના ચાલકે બાઇકને અડફેટે લેતાં અસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક દેગણભાઇને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં ઉના હોસ્પિટલે ખસેડાયેલા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતુ.આ અકસ્માતમાં કાર એટલી સ્પીડમાં હતી કે હાઇવે રોડ પરથી પાંચ જેટલી ગુલાંટ મારતાં રોડની સાઈડમાં પચાસ ફૂટ દૂર ફંગોળાઇ ગયેલી અને વાડીની દીવાલમાં ધડાકાભેર અથડાતા પલટી ખાઇ ગઈ હતી. તેમજ કાર ચાલક જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યના પુત્ર અલ્પેશભાઈ હરિભાઈ ચોહાણને પણ ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવેલા હોવાનું જાણવા મળેલું છે. આ બનાવ અંગે મૃતકના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા તજવીજ હાથ ધરેલી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જસદણના ચીતલીયા કુવા રોડ પર આવેલ હરેકૃષ્ણ મંદિર ખાતે આઠમના તહેવાર નિમિત્તે ભગત ઘનશ્યામદાસે આપી માહિતી
જસદણના ચીતલીયા કુવા રોડ પર આવેલ હરેકૃષ્ણ મંદિર ખાતે આઠમના તહેવાર નિમિત્તે ભગત ઘનશ્યામદાસે આપી માહિતી
કોને અપાઈ શ્રદ્ધાંજલિ કોના લાગ્યા નારા
ખેડબ્રહ્મા ....વિજયનગર ખેડબ્રહ્મા પોશીના ના વિધાનસભાના કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય...
बच्चू कडूंना कोर्टाचा दणका, 14 दिवसांची न्यायालयीन कोठडी
मुंबई, 14 सप्टेंबर : शिंदे गटाचे समर्थक आमदार आणि माजी मंत्री बच्चू कडू यांना गिरगाव कोर्टाने...