ખટનાલ ગામે મહિલાની હત્યા કરી ફરાર જેઠને ખંભાત ગ્રામ્ય પોલીસે વડોદરાથી ઝડપી પાડી કોર્ટમાં રજુ કરી ૯મી માર્ચ સુધી રિમાન્ડ મેળવ્યા હતા.જો કે.મહત્વની બાબત એ છે કે, જેઠ સંજય ઠાકોરની પ્રાથમિક પૂછપરછમાં જમવા બાબતની તકરારમાં પરણિતાની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે.

મળતી માહીતીનુસાર, છેલ્લા ત્રણેક વર્ષથી તકરાર ચાલતી હોવાથી આરોપી જેઠ તેના કાકાને ત્યાં જમતો હતો.એટલું જ નહીં આરોપી જેઠ સંજુય ઠાકોરને સગા વ્હાલાઓએ બે વર્ષ અગાઉ ભેગા મળીને તેને થાંભલા સાથે બાંધી દીધો હતો.આખો દિવસ તેને ખાવા-પીવાનું ન આપી તેને માનસિક અને શારિરીક ત્રાસ આપી હેરાન પરેશાન કર્યો હતો.જેને પગલે તે સમયથી તેના મનમાં પરિવારજનો પ્રત્યે રોષની લાગણી ફેલાઇ હતી.ત્રણ વર્ષ અગાઉ મૃતક દક્ષા સાથે આરોપી સંજયની જમવા બાબતે તકરાર ચાલતી હતી.તેને કાકાને ત્યાં જમવુ પડતું હતું.જેની રિસમાં પરિણીતા દક્ષાની હત્યા કર્યાની કબૂલાત પોલીસે કરેલી પુછપરછ દરમિયાન જાણવા મળી છે.

(સલમાન પઠાણ-ખંભાત)