શ્રી ગાયત્રી વિદ્યાલય થરાદના ધો 12 કોમર્સ વર્ષ 2012 ના વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું,,,શ્રી ગાયત્રી વિદ્યાલય થરાદ ખાતેથી વર્ષ 2012 માં કોમર્સ પ્રવાહમાં અભ્યાસ કરી ચુકેલા વિદ્યાર્થીઓએ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં તેમના વર્ગ શિક્ષક શ્રી ધનજીભાઈ પટેલ તથા સહાધ્યાયી મિત્રો ભેગા મળીને વિદ્યાર્થી કાળના સંસ્મરણો વાગોળ્યા તથા જૂની યાદગાર ક્ષણને પણ તરોતાજી કરી હતી, સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી શિવરામભાઈ પ્રજાપતિ, શ્રી નરેશભાઈ ચૌધરી, શ્રી રઘુભાઈ પટેલ (જેલ સિપાઈ) તથા અન્ય મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું, સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી હિતેશભાઈ ઓ. મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું હતું, ભૂતકાળમાં વર્ગશિક્ષક રહી ચુકેલ શ્રી ધનજીભાઈ પટેલ ને ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા ચાંદીની ગણેશજીની મૂર્તિ, ફોટો સ્કેચ, તથા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, સમગ્ર કાર્યક્રમના અંતે ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.