ગુજરાતનું સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મા દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો મા અંબાના ચરણે આવી શીશ નમાવે છે. તો મા જગતજનનીનો આશીર્વાદ સમરૂપ ગણાતો મોહનથાળનો મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવતા હોય છે. વર્ષોથી અંબાજી મંદિરમાં મા નો આશીર્વાદ રૂપે ચાલતો મોહનથાળનો મહાપ્રસાદ અંબાજી મંદિરની ઓળખ છે. ભાવીભક્તો પણ મા અંબાના ધામે આવી આ પ્રસાદને લેતા હોય છે અને પરિવાર માટે પણ સાથે લઈ જાય છે. મોહનથાળનો પ્રસાદ બંધ થતાં અંબાજી મંદિર આવતા યાત્રાળુઓમાં રોષની લાગણી જોવા મળી છે.