તારાપુર ગામમાં શારદેશ્વર ગૌશાળાનું ભુમિપૂજન ભૂમિદાતાશ્રી મહેન્દ્રભાઇ ઇશ્વરભાઇ અમીનના વરદ્દ હસ્તે તા.૨૩-૨-૨૦૨૩ને ગુરૂવારના રોજ સવારે ૧૦ કલાકે તારાપુર મોટી ચોકડી અમરાજ માતા (ચામુંડા માતાજી) મંદિર પાસે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે આ ગૌશાળાના ભુમિપૂજન પ્રસંગે ભામાશા શૈલેષભાઇ કાંતીભાઇ પટેલ યુએસએ, કેળવણી મંડળ પ્રમુખ ભુપેન્દ્રભાઇ પટેલ, જીણજ હાઇસ્કૂલ આચાર્ય ચંદ્રકાતભાઇ પટેલ, તેમજ તારાપુર રોટરી કલબ, લાયન્સ કલબ, સહિતની સેવાભાવિ સંસ્થાઓના પ્રમુખ, મંત્રી તેમજ સભ્યો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા