સુપ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ કામરેજના ધોરણ પારડી ખાતે આવેલા માનવ મંદિર આશ્રમના મહેમાન બન્યા હતા.અમદાવાદથી સુરત ખાતે ગત રોજ આવી પહોંચેલા જાણીતા મોટીવેશનલ સ્પીકર સંજય રાવલે માનવ મંદિર આશ્રમ ધોરણ પારડીની મુલાકાત લીધી હતી.આશ્રમના પ્રભુજીઓને તેમણે તેમની હળવી શૈલીમાં સંબોધન કરી સલાહ સૂચનો કર્યા હતા.તેમણે જણાવ્યું હતું કે સમગ્ર ભારત ભરમાં ફર્યો છું.પરંતુ માનવ મંદિર આશ્રમમાં ચાલી રહેલા સેવા કાર્ય જેવું ક્યાંય જોયું નથી.ઘરમાં રાખવામાં આવતી ચોખ્ખાઈ જેવી જ અહી રાખવામાં આવે છે.પ્રેમાળ ટ્રસ્ટી તેમજ કર્મચારી ગણ.અહી કરવામાં આવતું કામ ઈશ્વરીય જ છે.માનવ મંદિર આશ્રમ મંદિરથી પણ વધારે પવિત્ર જગ્યા છે.રોડ પર તરછોડાયેલા,ઘાયલ તેમજ ભાન વગરના લોકોને માનવ મંદિર આશ્રમમાં લાવી ઘર જેવું વાતાવરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે લોકોએ તન,મન અને ધનથી આવા સેવા યજ્ઞામાં જોડાવુ જોઈએ.