પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ વધી રહેલી આજની ભારતીય પેઢીને માતા-પિતા પ્રત્યે સ્નેહ અને આદર પ્રગટ થાય એવી સુભાવના સાથે શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ,પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન શ્રીમતી સાળવી (સ્વસ્તિક) પ્રા.શાળા ધ્વારા માતૃ પિતૃ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. 

            આ પ્રસંગે બાળ સુરક્ષા અધિકારી મનિષભાઇ જોશી, પાલનપુર સર્કલ ઓફિસર વિજયસિંહ ચાવડા, એડવોકેટ પ્રધ્યુમનસિંહ, ઉપપ્રમુખ પ્રકાશભાઇ ગામી, સ્વસ્તિક વાલી મંડળના પ્રમુખ દિનેશભાઇ નવેરીયા સહિત સાળવી પ્રા.શાળામાં ધો.૧ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માતા-પિતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. 

        આ કાર્યક્રમમાં માતા-પિતાનું મહત્વ રજુ કરતાં વિવિધ વકત્વ્યો રજુ કરવામાં આવ્યા હતાં. તદઉપરાંત, ઉપસ્થિત તમામ માતા-પિતાના બાળકોએ તેમનું કુમકુમ તિલક કરી,ગુલાબ અર્પણ કરી-ચરણ સ્પર્શ કરીને પુજન કરતાં તમામ માતા-પિતા ભાવ-વિભોર બન્યા હતાં.  

          આ કાર્યક્રમનું આયોજન મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય મહેશભાઇ પટેલ અને ઉપાચાર્ય રવિન્દ્રભાઇ મેણાત અને સમગ્ર સ્ટાફના સહયોગથી કરવામાં આવ્યુ હતું..