ધાનેરા તાલુકા શાળા નંબર-૧ માં ૧૩ માં રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.દર વર્ષે 25મી જાન્યુઆરીના રાજ્યકક્ષાએથી લઇ મતદાન મથક સુધી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.મતદાતા જાગૃતિ નિમિત્તે કાર્યક્રમમા ધાનેરા મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી તેમજ ચુંટણી અધિકારી તથા શાળાના આચાર્યશ્રી તેમજ ધાનેરા મિશ્ર શાળા નંબર-૧ ના તમામ શિક્ષકો.શિક્ષીકાઓ.વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ચૂંટણપંચ નવી દિલ્હીની સૂચના અનુસાર સમૂહમાં મામલતદારશ્રીની આગેવાની હેઠળ મતદારોએ મતદાન માટેની પ્રતિજ્ઞા લીધી હતી.