જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા ભારતી આશ્રમના શિષ્ય અને ઝાંઝરડા રોડ પર આવેલા ખેતલિયા દાદાના મંદિરના મહંત રાજ ભારતીબાપુએ પોતાની જ પિસ્તોલથી જાતે ગોળી મારીને આત્મહત્યા કરી છે. મળતી માહિતી મુજબ, થોડા દિવસ અગાઉ રાજ ભારતીબાપુ દારૂ પીતા હોવાનો વીડિયો અને અન્ય કેટલાક ઓડિયો વાઇરલ થયા હતા, જેને લીધે આ પગલું ભર્યું હોવાની પ્રાથમિક તબક્કે માહિતી મળી રહી છે.જાતે જ ગોળી મારીને જીવન ટૂંકાવ્યું રાજ ભારતીબાપુએ પોતાના ખડિયા ગામ સ્થિત વાડીમાં જાતે જ ગોળી મારીને જીવન ટૂંકાવ્યું છે. પોતાની લાઇસન્સવાળી પિસ્તોલથી લમણામાં ગોળી મારતાં લોહીલુહાણ હાલતમાં તેમને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે સારવાર મળે એ પૂર્વે જ તેમનું મોત થયું હતું. આ મામલે પોલીસે અત્યારે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.થોડા દિવસ અગાઉ દારૂ પીતો વીડિયો સામે આવ્યો હતોમહત્ત્વનું છે કે રાજ ભારતીબાપુનો થોડા દિવસ અગાઉ વાઇરલ થયેલા વીડિયોમાં તેઓ દારૂ પીતા નજરે પડ્યા હતા. આ ઉપરાંત તેમના કેટલાક ઓડિયો વાઇરલ થયા હતા, જેને લઇને સાધુ-સંતો અને ભક્તોમાં તેમના પ્રત્યે ઘૃણાનો ભાવ જોવા મળી રહ્યો હતો. એને કારણે ડિપ્રેશનમાં આવીને આજે રાજ ભારતીબાપુએ આ પગલું ભર્યું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. રિપોર્ટર જહાંગીર બ્લોચ ઉના
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ajit Pawar, Uddhav Thackeray यांनी सांगितलं छगन भुजबळ मुख्यमंत्री का झाले नाही?
Ajit Pawar, Uddhav Thackeray यांनी सांगितलं छगन भुजबळ मुख्यमंत्री का झाले नाही?
Lok Sabha Elections 2024: OP Rajbhar बोले- NDA को प्रतिदिन ताकत मिल रही है | BJP | Congress
Lok Sabha Elections 2024: OP Rajbhar बोले- NDA को प्रतिदिन ताकत मिल रही है | BJP | Congress
બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલના હસ્તે 25 પરિવારોને પ્લોટની સણંદો આપવામાં આવી
બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલના હસ્તે 25 પરિવારોને પ્લોટની સણંદો આપવામાં આવી
સરકાર પ્રેશરમાં : ગુજરાતના ડીજીપીએ IPS અધિકારીઓને લખ્યો પત્ર, સરકાર સામે પ્રચાર ન કરો
રાજ્યના પોલીસ વડાએ રાજ્યના તમામ રેન્જ આઈજી અને એસપી સહિત પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. જેમાં...