ધાનેરા એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટ ટીમ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે.અત્યારે શીયાળાની કડકડતી ઠંડીમાં ગરીબ વર્ગના નાના બાળકોને ઠંડીમા રક્ષણ મળે તે માટે ધાનેરાના બેલીમવાસ વિસ્તારમાં આવેલ આંગણવાડી નંબર-૪ માં નાના બાળકોને ગરમ સ્વેટર,મોજા,ટોપી જેવા ગરમ વસ્ત્રો વિતરણ કરવામાં આવ્યા હતા.વિતરણ વખતે ધાનેરાના વરિષ્ઠ પત્રકાર શ્રી મહેન્દ્રભાઈ સંઘવી જીવદયા રથના ડોક્ટર શ્રી વિક્રમભાઈ ડાભી, દિપકભાઈ,પ્રવીણભાઈ ગોહિલ દ્વારા વિતરણ કરવામાં આવ્યા હતા.સ્વેટર વિતરણ પ્રસંગે એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમનો બેલીમ વાસની આંગણવાડી નંબર-૪ ના કાર્યકર સુજાતાબેન શાહે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.અગાઉ એજયુફન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આ આંગણવાડી કેન્દ્રમા વિવિધ વ્રુક્ષો પણ રોપવામાં આવ્યા હતા.સેવાકીય પ્રવ્રુત્તિઓમા સદા અગ્રેસર ધાનેરામા એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જીવદયારથ,અક્ષયરથ, ભૂખ્યાને ભોજન ખીચડીઘર જેવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે.