અમદાવાદ: શાહપુરમાં પરિવાર વહેલી સવારે ઊંઘમાં હતો ને આગ લાગી, 8 વર્ષના બાળક સાથે માતા-પિતાનાં મોત. અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી ન્યૂ એચ. કોલોનીના એક મકાનમાં આજે વહેલી સવારે આગ લાગતાં પતિ- પત્ની અને આઠ વર્ષના બાળકનું મોત નીપજતા ચકચાર મચી જવા પામી હતી.અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી ન્યૂ એચ. કોલોનીના એક મકાનમાં આજે વહેલી સવારે આગ લાગતાં પતિ- પત્ની અને આઠ વર્ષના બાળકનું મોત નીપજતા ચકચાર મચી જવા પામી હતી.અમદાવાદ ફાયરબ્રિગેડને આજે વહેલી સવારે 4.55 વાગ્યે કોલ મળ્યો હતો કે શાહપુર દરવાજા બહાર માસ્ટર પેટ્રોલ પંપ પાસે આવેલી ન્યૂ એચ. કોલોનીના એક મકાનમાં આગ લાગી છે, જેથી ફાયરબ્રિગેડની ચારથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ત્યારે મકાનમાં ગાદલામાં આગ ચાલુ હતી, જેને ફાયર બ્રિગેડ એ બૂઝાવી હતી, જો કે ઘરમાં જોતા ખૂબ જ ધૂમાડો હતો અને ત્યાં જોતા એક બાળક સહિત ત્રણ લોકો મૃત હાલતમાં પડ્યા હતા.જયેશભાઈ વાઘેલા તેમના પત્ની હંસાબેન વાઘેલા અને દીકરા રેહાન વાઘેલા સાથે આ મકાનમાં રહેતા હતા અને વહેલી સવારે કોઈ કારણોસર ઘરમાં આગ લાગી હતી અને રૂમમાં ફેલાઈ ગઈ હતી. જયેશભાઈ અને તેમનો પરિવાર વહેલી સવારે જ્યારે ઊંઘમાં હતો ત્યારે જ આગ લાગી હતી, કદાચ તેમને જાણ જ થઈ ન હતી કે આગ લાગી છે. ઘરમાં ધુમાડો થઈ ગયો હતો અને પતિ, પત્ની અને બાળક બહાર નીકળે એની પહેલાં જ તેમનાં મોત થઈ ગયાં હતાં. ત્રણે લોકોને ઘરની બહાર નીકળવાનો મોકો જ મળ્યો નહોતો અને તેઓ આગમાં મૃત્યુ પામ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অসম আৰক্ষী দিৱস উপলক্ষে মৰাণ মহাবিদ্যালয়ৰ NSS গোটৰ উদ্যোগত মৰাণহাট আৰক্ষী থানাত এক বিশেষ কাৰ্যসূচী
অসম আৰক্ষী দিৱস উপলক্ষে মৰাণ মহাবিদ্যালয়ৰ NSS গোটৰ উদ্যোগত মৰাণহাট আৰক্ষী থানাত এক বিশেষ...
द्वारी के पास भीषण सड़क हादसा एक युवक की मौत एक महिला घायल अमानगंज से जिला कटनी के लिए रेफर।
द्वारी के पास भीषण सड़क हादसा एक युवक की मौत एक महिला घायल अमानगंज से जिला कटनी के लिए रेफर।
ગણેશ ચતુર્થી પર શુક્ર ગ્રહ કરશે સિંહ રાશિમાં પ્રવેશ, આ 3 રાશિઓના ભાગ્ય ખીલી ઉઠશે,વાંચો અહેવાલ
શુક્ર 31મી ઓગસ્ટ 2022ને બુધવારે સાંજે 04:29 કલાકે સિંહ રાશિમાં સંક્રમણ કરશે. ગણેશ ચતુર્થી પણ 31મી...
लोकसभा अध्यक्ष ओम बिरला के स्वागत में आज दिखेगा उल्लास और उत्साह
कोटा-बूंदी के नागरिकों को अपने परिवार का सदस्य मानने वाले लोक सभा अध्यक्ष ओम बिरला के स्वागत के...
તા.૮ નવેમ્બર-૨૦૨૨ના રોજ અમરેલી જિલ્લામાં ઉમેદવારી પત્રો સ્વીકારવામાં આવશે
તા.૧૨ નવેમ્બર શનિવારના રોજ
ઉમેદવારી પત્ર સ્વીકારવામાં આવશે નહિ
ભારતના ચૂંટણી પંચ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માટે વિગતવાર કાર્યક્રમ નકકી કરવામાં આવ્યો...