અમદાવાદ: શાહપુરમાં પરિવાર વહેલી સવારે ઊંઘમાં હતો ને આગ લાગી, 8 વર્ષના બાળક સાથે માતા-પિતાનાં મોત. અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી ન્યૂ એચ. કોલોનીના એક મકાનમાં આજે વહેલી સવારે આગ લાગતાં પતિ- પત્ની અને આઠ વર્ષના બાળકનું મોત નીપજતા ચકચાર મચી જવા પામી હતી.અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી ન્યૂ એચ. કોલોનીના એક મકાનમાં આજે વહેલી સવારે આગ લાગતાં પતિ- પત્ની અને આઠ વર્ષના બાળકનું મોત નીપજતા ચકચાર મચી જવા પામી હતી.અમદાવાદ ફાયરબ્રિગેડને આજે વહેલી સવારે 4.55 વાગ્યે કોલ મળ્યો હતો કે શાહપુર દરવાજા બહાર માસ્ટર પેટ્રોલ પંપ પાસે આવેલી ન્યૂ એચ. કોલોનીના એક મકાનમાં આગ લાગી છે, જેથી ફાયરબ્રિગેડની ચારથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ત્યારે મકાનમાં ગાદલામાં આગ ચાલુ હતી, જેને ફાયર બ્રિગેડ એ બૂઝાવી હતી, જો કે ઘરમાં જોતા ખૂબ જ ધૂમાડો હતો અને ત્યાં જોતા એક બાળક સહિત ત્રણ લોકો મૃત હાલતમાં પડ્યા હતા.જયેશભાઈ વાઘેલા તેમના પત્ની હંસાબેન વાઘેલા અને દીકરા રેહાન વાઘેલા સાથે આ મકાનમાં રહેતા હતા અને વહેલી સવારે કોઈ કારણોસર ઘરમાં આગ લાગી હતી અને રૂમમાં ફેલાઈ ગઈ હતી. જયેશભાઈ અને તેમનો પરિવાર વહેલી સવારે જ્યારે ઊંઘમાં હતો ત્યારે જ આગ લાગી હતી, કદાચ તેમને જાણ જ થઈ ન હતી કે આગ લાગી છે. ઘરમાં ધુમાડો થઈ ગયો હતો અને પતિ, પત્ની અને બાળક બહાર નીકળે એની પહેલાં જ તેમનાં મોત થઈ ગયાં હતાં. ત્રણે લોકોને ઘરની બહાર નીકળવાનો મોકો જ મળ્યો નહોતો અને તેઓ આગમાં મૃત્યુ પામ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
চাৰিদুৱাৰতো ৰাষ্ট্ৰীয় একতা দিৱস উদযাপন
ৰাষ্ট্ৰীয় একতা দিৱস উদযাপন
আজি ছৰ্দাৰ বল্লভভাই পেটেল'ৰ জন্মজয়ন্তী। ছৰ্দাৰ বল্লভভাই পেটেল'ৰ...
AC Tips :आपकी एसी का बार-बार ट्रिप होना देता है ये संकेत, ये 5 उपाय आएंगे आपके काम
क्या आपका एयर कंडीशनर बार-बार ब्रेकर ट्रिप होने से काम करना बंद कर देता है? ऐसे में चिंता करने की...
सरपंच की दबंगी से परेशान ब्रधा मां ने एसपी से लगाई मदद की गुहार
पन्ना।
दबंग सरपंच पट्टे की जमीन में जबरन कर रहा कब्जा
शिकायत करने पर जान से मारने...
28 अगस्त तक प्रति शनिवार और रविवार को रद्द
की गयी अहमदाबाद मंडल की ट्रेने बहाल
पश्चिम रेलवे द्वारा अहमदाबाद मंडल की पारिचालनिक कारणों से कुछ ट्रेनों को 28 अगस्त 2022 तक...
অসম সাহিত্য সভাৰ গাহৰি বিতৰ্ক। মুখ খুলিলে ড° পৰমানন্দ ৰাজবংশীয়ে
অসম সাহিত্য সভাৰ গাহৰি বিতৰ্কক লৈ মুখ খুলিলে প্ৰাক্তন সভাপতি তথা বৰ্তমানৰ ছিপাঝাৰ সমষ্টিৰ বিধায়ক...