રાજસ્થાનમાં આજે વહેલી સવારે બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનના 8 ડબ્બા જોધપુર ડિવિઝનના રાજકિયાવાસ-બોમદરા સેક્શન વચ્ચે પાટા પરથી ઉતરી ગયા હતા. ઉત્તર પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી જવાને કારણે 8 બોગીને અસર થઈ છે. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ ઘટનામાં 10 મુસાફરો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ટ્રેનમાં 150 સ્કાઉટ ગાઈડ વિદ્યાર્થીઓ પણ હતા, જેઓ પાલીના જંબોરી જઈ રહ્યા હતા. જોધપુરથી રાહત ટ્રેનને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. સૂર્યનગરી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જવાની માહિતી મળતાની સાથે જ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ફસાયેલા મુસાફરોને લઈ જવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અકસ્માત બાદ 12 ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે અને જ્યાં સુધી રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ ન થાય અને ટ્રેકની તપાસ ન થાય ત્યાં સુધી રૂટ બ્લોક કરી દેવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું નિધન | SatyaNirbhay News Channel
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું નિધન | SatyaNirbhay News Channel
BJP ने बनाया महारिकॉर्ड, सदस्यता अभियान में 8 दिनों में बनाए 2 करोड़ से ज्यादा सदस्य
भारतीय जनता पार्टी के राष्ट्रीय सदस्यता अभियान को बड़ी सफलता मिली है। महज 8 दिन में ही सदस्य...
વઢવાણ તાલુકાના નગરા સહિત આસપાસના ગામોમાં ચેકીંગ દરમિયાન ખેડૂતોના ઉભા પાકમાં જેસીબી ચલાવી દઈ લાખોનું નુકસાન થવાથી ખેડૂતોમાં રોષ ફેલાયો
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી પીવાના પાણીની લાઈનનું અવારનવાર પાણી પુરવઠા વિભાગ ચેકીંગ કરે છ...
દામાવાવ ગામેથી નિષ્ઠુર માતા દ્વારા ત્યજી દેવાયેલ નવજાત શીશુ જીવંત હાલતમાં મળી આવ્યું.
પંચમહાલ જિલ્લાનાં ઘોઘંબા તાલુકાનાં દામાવાવ ગામના રાઠવા ફળિયામાં કોઈકે ત્યજી...