રાજસ્થાનમાં આજે વહેલી સવારે બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનના 8 ડબ્બા જોધપુર ડિવિઝનના રાજકિયાવાસ-બોમદરા સેક્શન વચ્ચે પાટા પરથી ઉતરી ગયા હતા. ઉત્તર પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી જવાને કારણે 8 બોગીને અસર થઈ છે. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ ઘટનામાં 10 મુસાફરો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ટ્રેનમાં 150 સ્કાઉટ ગાઈડ વિદ્યાર્થીઓ પણ હતા, જેઓ પાલીના જંબોરી જઈ રહ્યા હતા. જોધપુરથી રાહત ટ્રેનને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. સૂર્યનગરી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જવાની માહિતી મળતાની સાથે જ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ફસાયેલા મુસાફરોને લઈ જવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અકસ્માત બાદ 12 ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે અને જ્યાં સુધી રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ ન થાય અને ટ્રેકની તપાસ ન થાય ત્યાં સુધી રૂટ બ્લોક કરી દેવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বিৰোধী মিত্ৰজোঁটক INDIA শব্দ ব্যৱহাৰ কৰাত বাধা দিয়াৰ আবেদন নাকচ উচ্চতম ন্যায়ালয়ে
শুকুৰবাৰে উচ্চতম ন্যায়ালয়ে ২৬টা ৰাজনৈতিক দলৰ মিত্ৰতাক "I.N.D.I.A" শব্দটো ব্যৱহাৰ কৰাত বাধা...
নাৰায়ণপুৰ লেখিকা সমাৰোহ সমিতিৰ দ্বাৰা দুখনকৈ গ্ৰন্থ উন্মোচন
নাৰায়ণপুৰ লেখিকা সমাৰোহ সমিতিৰ উদ্যোগত নাৰায়ণপুৰ জ্যেষ্ঠ নাগৰিক সন্মিলনৰ কাৰ্যালয়ত আজি দুখনকৈ...
मोदी ने राजस्थान को तवज्जो दी उससे साफ हो गया नहीं बदलेगा राजस्थान का सीएम
देश में लोकसभा चुनाव परिणामों में भले ही बीजेपी को राजस्थान में काफी नुकसान हुआ है, लेकिन फिर भी...
PORBANDAR મોરબી દુર્ઘટનાના મૃતકોને પોરબંદરમાં શ્રધ્ધાંજલી પાઠવાઈ 06 11 2022
PORBANDAR મોરબી દુર્ઘટનાના મૃતકોને પોરબંદરમાં શ્રધ્ધાંજલી પાઠવાઈ 06 11 2022