રાજસ્થાનમાં આજે વહેલી સવારે બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનના 8 ડબ્બા જોધપુર ડિવિઝનના રાજકિયાવાસ-બોમદરા સેક્શન વચ્ચે પાટા પરથી ઉતરી ગયા હતા. ઉત્તર પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી જવાને કારણે 8 બોગીને અસર થઈ છે. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ ઘટનામાં 10 મુસાફરો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ટ્રેનમાં 150 સ્કાઉટ ગાઈડ વિદ્યાર્થીઓ પણ હતા, જેઓ પાલીના જંબોરી જઈ રહ્યા હતા. જોધપુરથી રાહત ટ્રેનને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. સૂર્યનગરી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જવાની માહિતી મળતાની સાથે જ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ફસાયેલા મુસાફરોને લઈ જવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અકસ્માત બાદ 12 ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે અને જ્યાં સુધી રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ ન થાય અને ટ્રેકની તપાસ ન થાય ત્યાં સુધી રૂટ બ્લોક કરી દેવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अरविंद केजरीवाल और उपराज्यपाल के बीच कभी सहमति किसी बात पर बनती दिखाई नहीं दी
दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल और उपराज्यपाल के बीच कभी सहमति किसी बात पर बनती दिखाई नहीं...
Wayanad Landslide: भूस्खलन प्रभावित लोगों के लिए केरल सरकार ने बढ़ाया मदद का हाथ, मृतकों के परिजन को मिलेगा छह लाख मुआवजा
तिरुवनंतपुरम। केरल के मुख्यमंत्री पिनाराई विजयन (Kerala Chief Minister Pinarayi...
Breaking News: AAP नेता के यहां ED की छापेमारी | Arvind Kejriwal | Aaj Tak Latest News
Breaking News: AAP नेता के यहां ED की छापेमारी | Arvind Kejriwal | Aaj Tak Latest News
કેશોદ પોલીસ દ્વારા મુખ્ય માર્ગો પર ફુટ પેટ્રોલિંગ કરી ટ્રાફિક પ્રશ્ર્નો ઉકેલવા સુચના આપી
કેશોદ પોલીસ દ્વારા મુખ્ય માર્ગો પર ફુટ પેટ્રોલિંગ કરી ટ્રાફિક પ્રશ્ર્નો ઉકેલવા સુચના આપી