દિયોદરના ધારાસભ્ય એ સાંભળ્યા પ્રજા ના પ્રશ્નો.,,,ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કેશાજી ચૌહાણનો દિયોદર વિધાનસભાની બેઠક ઉપર ભવ્ય જીત થઈ હતી ત્યારે દીયોદર ના ધારાસભ્ય કેશાજી  ચૌહાણ મતદારોને મળી રહ્યા છે અને મતદારો ના પ્રશ્નો સાંભળી રહ્યા છે ત્યારે ગઈ રાત્રે દિયોદર શહેરના જલારામ પાર્ક અને ઓગડ નાથ વિસ્તારના લોકો સાથે બેઠક યોજી હતી જેમાં  ધારાસભ્ય એ પ્રજાએ કરેલા પ્રશ્નોને સાંભળ્યા હતા તેમજ ભવ્ય જીત આપવા બદલ તમામ મતદાતાઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો..