સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાગધા શહેરના જનતા જીન ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી આ ક્રિકેટ ટુર્નામેન્ટમા જય માતાજી તથા આશાપુરા ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી જેમાં જય માતાજી ટીમ વિજેતા બની હતી જ્યારે આશાપુરા ટીમ રનરઅપ બની હતી વિજેતા ટીમ તથા ખેલાડીઓ ને સન્માન કરવામાં આવ્યા હતા આ ક્રિકેટ ટુર્નામેન્ટ માં પુર્વે કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા તથા ધારાસભ્ય પ્રકાશ વરમોરા સહિત આગેવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિજેતા ટીમને પુર્વે કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા ના વરદ હસ્તે ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ ક્રિકેટ ટુર્નામેન્ટ ને નિહાળવા ભાજપાના હોદ્દેદારો , કાર્યકરો , હોદ્દેદારો નગરપાલિકાના સુધરાઈ સભ્યો મોટી સંખ્યામાં દર્શકો ઉપસ્થિત રહ્યા હતા.