આણંદ જીલ્લાના યુવા જાગૃત પત્રકાર બળવંતસિંહ વાઘેલાનુ અકાળે અવસાન
આણંદ જિલ્લામાં હંમેશા લોકપ્રશ્નોને વાચા આપતા અને સમગ્ર જીલ્લા માટે જાગૃત લોકપ્રહરી ગણાતા બળવંતસિંહ લાલજીભાઈ વાઘેલાનુ આજે બુધવારે મોડીરાત્રે દુઃખદ અવસાન થયેલ છે. બળવંત વાઘેલાનુ નિધન થયું હોવાની માહિતી પ્રસરતા જ સમગ્ર જીલ્લાનાપત્રકારત્વ જગતમાં તેમજ સદગતના પરિવારજનો સગા સંબંધીઓમા ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
બળવંત વાઘેલા છેલ્લા એક દાયકાથી પત્રકારત્વની કારકિર્દી સાથે જોડાયેલા હતા. પોતાની કારકિર્દી દરમિયાન તેઓ સતતં જાગૃત લોકપ્રહરી તરીકે નામના પ્રાપ્ત કરી હતી. તેઓએ પત્રકારત્વની ફરજ. દરમિયાન અનેકવાર જોખમી પરિસ્થિતિમાં પણ નિસ્વાર્થ અને નિડરતાથી પોતાની નિષ્ઠા યથાવત રાખી દરેક વખતે ઉમદા ફરજ નિભાવી હતી.