દીયોદર કોંગ્રેસ ઉમેદવાર શિવાભાઈ ભુરીયા ના સમર્થનમાં આઝાદ ચોક દિયોદર ખાતે જાહેર સભામાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.અને તેમા ગુજરાત સરકાર ના પૂર્વ મુખ્યમંત્રીશ્રી શંકરસિંહ વાધેલા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ ઉમેદવાર શિવાભાઈ ભૂરિયા ને જંગી લીડ સાથે જીતાડવા માટે આહવાન કર્યું હતું. સભા પેલા બાઈક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.