1 ડીસેમ્બર ગુરુવારના રોજ એટલે કે આવતી કાલે છોટાઉદેપુર જિલ્લાની 3વિધાનસભા મત વિસ્તારની બેઠકોના ચૂંટણી માટેના પ્રચાર પ્રસાર અર્થે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેવાસેદન ની બાજુ ના મેદાનમાં પધારી જનસભા યોજી જંગી જનમેદનીને સંબોધન કરવાના છે જેને લઈ છેલ્લા એક અઠવાડિયા ઉપરાંતથી મેદાનમાં યોજાનાર સભા સ્થળે તડામાર તૈયારીઓ ચાલી રહી હતી જેમાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના આગમનને આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે જેમાં આવતી કાલે સવારે અંદાજીત 50હજાર જેટલી જનમેદનીની જાહેર સભાને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે તેવી અનુમાન છે.