સુરેન્દ્રનગરઃ સમસ્ત લુહાર સુથાર સમાજ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં વઢવાણ વિધાનસભાનાં ભાજપના ઉમેદવાર જગદીશભાઈ મકવાણાએ હાજરી આપી.બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવાનો સંકલ્પ કર્યો હતો.સમસ્ત લુહાર સુથાર સમાજ સ્નેહમિલન સમિતિ (સૂચિત) દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર, વઢવાણ અને તાલુકાના દરેક ગામમાંથી જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્યોગ નગરમાં આવેલ ઓમકાર સ્કૂલના કમ્પાઉન્ડમાં યોજાયેલા કાર્યક્રમમાં દેવ મિસ્ત્રી, દિપાલીબેન મિસ્ત્રી સહિતના કલાકારોએ લોક ડાયરાની રમઝટ બોલાવી હતી.