હળવદ ખાતે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જનસભા યોજાઇ હતી. જ્યાં યોગી આદિત્યનાથે જાહેર સભા સંબોધતા કહ્યું હતું કે, સ્વામી દયાનંદ સરસ્વતીને પેદા કરવાનું સાર્મથ્ય આ ધરતીમાં છે. સ્વતંત્ર ભારતનાં એકીકરણનું બીડું ઉઠાવનાર સરદાર પટેલ પણ ગુજરાતની દેન છે. જ્યારે ભારત અરાજકતા વચ્ચેથી પસાર થઈ રહ્યું હતું. ત્યારે મોદીજીને મોકલવામાં આવ્યા. આઝાદીનાં અમૃત મહોત્સવ વચ્ચે આખો દેશ જ્યારે સામેલ છે. ત્યારે હર ઘર તિરંગા લગાવી ઉજવવામાં આવ્યો છે. આદિત્યનાથે વધુમાં જણાવ્યું હતું કે, ૨૦ મોટા દેશનું નેતૃત્વ પણ ભારત આગામી સમયમાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કરશે. જે ભારતનું ગૌરવ છે. વર્ષો બાદ અયોધ્યામાં રામ મંદિરનું કામ ચાલે છે. કાશીમાં કાશી વિશ્વ નાથનું કામ ચાલે છે. ઉજ્જૈનમાં મહાકાલ લોક ભવ્ય રૂપથી ખીલી રહ્યું છે. કોરોના સામે લડવા માટે ફ્રીમાં ટેસ્ટ, વેક્સિન ઉપચાર અને ફ્રી માં ગરીબો માટે ગરીબ માટે રાશનની વ્યવસ્થા ડબલ એન્જીનની સરકારે કરી છે. કોંગ્રેસીઓ ગરીબોનું અનાજ ખાઈ જતાં હતા, કોંગ્રેસ અયોધ્યામાં શું રામ મંદિર બની શકે ? કાંગ્રેસ શું કાશ્મીરમાંથી ૩૭૦ હટાવી શકે? જો કાઈ કોંગ્રેસ ના કરી શકે તો શા માટે કોંગ્રેસને મત આપવો જોઈએ તેવું યોગીએ સભામાં જણાવ્યું હતું.મોરબી દુર્ઘટના અંગે તેઓએ દુખ વ્યક્ત કર્યું હતું. મૃતકોના પરિવારજનો સાથે પુરી સંવેદના હોવાનું તેઓએ જણાવ્યું હતું. યોગીની જાહેરસભામાં શ્રોતાઓની પાંખી હાજરી જોવા મળી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बारिश खत्म होते ही होगी क्षतिग्रस्त सड़कों की मरम्मत-प्रभारी मंत्री
कोटा जिले के प्रभारी एवं सहकारिता मंत्री श्री गौतम कुमार दक ने कहा कि मानसून सीजन खत्म होने के...
সোণাৰিৰ চফ্ৰাইত বিশ্ব স্তনপান সপ্তাহ উপলক্ষে সজাগতা সভা সম্পন্ন
*সোণাৰিৰ চফ্ৰাইত বিশ্ব স্তনপান সপ্তাহ উপলক্ষে সজাগতা সভা সম্পন্ন*
সোণাৰি, ৫ আগষ্ট, ২০২২ঃ- বিশ্ব...
Karnataka Election Results 2023: बजरंग बली भाजपा के साथ नहीं हैं, उनका आशीर्वाद तो हमें मिला है- भूपेश बघेल
रायपुर,छत्तीसगढ़ के मुख्यमंत्री भूपेश बघेल ने कर्नाटक विधानसभा चुनाव के नतीजे को लेकर भाजपा...
लोकसभा टिकट काटने के लिए उठी आवाज निरहू निलम की।
जनपद आजमगढ़ में,लोकसभा टिकट काटने के लिए उठी आवाज निरहू निलम की।मालूम होकि जनपद आजमगढ़...
ચણિયા ચોળી અને ઓર્નામેન્ટમાં બમણા ભાવ વધારાથી યુવતીઓના બજેટ ખોરવાયા
નવરાત્રિ મહોત્સવને આડે હવે એક મહિનો બાકી રહ્યો છે એટલે ખેલૈયાઓ નવરાત્રિની પૂર્વ તૈયારી...