સિહોર નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા નંદલાલ મૂળજી ભૂતા હોસ્પિટલ ખાતે ફાયર મોકડ્રીલ અને તાલીમ યોજવામાં આવી સિહોર નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા નંદલાલ મૂળજી ભૂતા હોસ્પિટલ ખાતે ફાયર અંગેની મોકડ્રીલ અને તાલીમ યોજવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા જાહેર સંસ્થા, હોસ્પિટલ, સ્કૂલ, કોલેજ સહિતના વિસ્તારમાં ફાયર વિભાગ દ્વારા જીવંત નિદર્શનનું જન જાગૃતિ સાથે આયોજન કરવામાં આવે છે. સિહોર નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા નંદલાલ મૂળજી ભૂતા હોસ્પિટલમાં ફાયર વિશેની બેઝિક ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આગ ના લાગે તેના માટે કઈ-કઈ વાતની તકેદારી રાખવી અને જો કોઈ કારણોસર અચાનક આગ લાગે તો શું પગલાં ભરવાં તેની માહિતી સિહોર નગરપાલિકાના ફાયર ઓફિસરશ્રી કૌશિકભાઇ રાજ્યગુરુ અને ફાયરમેનશ્રી ધર્મેન્દ્રભાઇ ચાવડા દ્વારા આપવામાં આવી હતી. આ સાથે ફાયર એક્સટિંગ્વીશરનો ઇમરજન્સી સમયે કેવી રીતે ઉપયોગ કરવો, ફાયર ઇમરજન્સી જે પેનલ લગાડેલ છે તેનો ઉપયોગ કેમ થાય છે, વગેરેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ મોકડ્રીલ અને ટ્રેનિંગ અને તાલીમ દરમિયાન હોસ્પિટલના ડો. સિધ્ધાર્થભાઇ ગોસાઈ, ડૉ. શૈલેષભાઈ પરમાર તેમજ હોસ્પિટલના વહીવટકર્તાશ્રી રમેશભાઈ આલ સહિતના સ્ટાફે ઉપસ્થિત રહી આગ અકસ્માત અને તેના બચાવ અને રાહત કામગીરીથી માહિતગાર થયાં હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  দেশৰ প্ৰতিখন বিদ্যালয়-মহাবিদ্যালয়ৰ পাঠ্যক্ৰমত অন্তৰ্ভুক্ত কৰক লাচিত বৰফুকনৰ বীৰ গাঁথা : মুখ্যমন্ত্ৰী শৰ্মা 
 
                      মহাবীৰ লাচিত বৰফুকনৰ বীৰ গাঁথাৰ বিষয়ে দেশৰ প্ৰতিখন বিদ্যালয়-মহাবিদ্যালয়ৰে পাঠ্যক্ৰমত সন্নিবিষ্ট...
                  
   ધાનેરા મેમણ જમાઅત દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને કારકિર્દી સેમિનાર યોજાયો 
 
                      ધાનેરા મેમણ જમાઅત દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને કારકિર્દી સેમિનાર યોજાયો
                  
   ધાનેરા-થરાદ હાઇવે રોડ ઉપર બાઇક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતાં 4 વ્યક્તિઓ ઘાયલ 
 
                       ધાનેરા-થરાદ હાઇવે ઉપર સરાલ પાટીયા પાસે દૂધ ટેન્કર અને બાઇકનો અકસ્માત સર્જાયો હોવાની ઘટના...
                  
   છોટાઉદેપુર જીલ્લાની બે વિધાનસભા બેઠક પર ઉમેદવારોના નામ જાહેર 
 
                      ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આજે ભાજપ દ્વારા ૧૬૦ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં...
                  
   জামুগুৰিহাটত “আখৰা”ৰ নাট কৰ্মশালাৰ সামৰণি 
 
                      নাট্যকৰ্মী ৰঞ্জন কুমাৰ দাসৰ পৰিচালনা আৰু পৰিকল্পনাৰে লক্ষ্মীনাথ বেজবৰুৱাৰ বুঢ়ীআইৰ সাধুকথাৰ...
                  
   
  
  
  
   
  