ગુજરાત વિધાનસભાની ચૂંટણી એ જોર પકડ્યું છે. રાજ્ય માં વિધાનસભા ની ચૂંટણી જામી છે. ત્યારે વિવિધ રાજકીય પક્ષો એ પોતાના પ્રચાર શરૂ કરી દીધો છે. ડોર ટુ ડોર પ્રચાર કરી મતદારો ને રિજવવા માટે દરેક પક્ષ કામે લાગ્યો છે. ત્યારે દિયોદર વિધાનસભા માં ભારતીય જનતા પાર્ટી ને જન સમર્થન મળી રહ્યું છે. ત્યારે દિયોદર તાલુકા ના ધનકવાડા ખાતે જાગીરદાર સમાજ ના યુવાનો નું ભાજપ ને ખુલ્લું સમર્થન મળ્યું હતું .હિંગળાજ માતા ના મંદિરે આ બેઠક માં જાગીરદાર સમાજ ના યુવાનો એ ભાજપ નો ખેસ ધારણ કરી ભાજપ ને સમર્થન આપ્યું છે.. ભાજપ ના ઉમેદવાર કેશાજી ચૌહાણે સૌને આવકાર્યા હતા.ત્યારે દિયોદર જાગીરદાર સમાજ ભાજપ સાથે જોડાઈ છે.