વિધાનસભાની ચુંટણી નજીક આવતાંની સાથે દાહોદ જિલ્લાની ૦૬ વિધાનસભાના ઉમેદવારો પણ જાહેર થઈ ગયાં છે અને ચુંટણી માહોલ પણ ગરમાયો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે આગામી ૨૩મી તારીખ વિધાનસભાની ચુંટણી પુર્વે મહત્વની સાબીત થનાર છે. તારીખ ૨૩મી નવેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દાહોદ શહેરમાં આવી રહ્યાં છે. વડાપ્રધાન મોદીના આગમનની પુર્વ તૈયારીઓમાં ભારતીય જનતા પાર્ટી સહિત અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓ તડામાર તૈયારીઓમાં જાેતરાઈ ગયાં છે,વિધાનસભાની ચુંટણી નજીક આવતાં તમામ પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર શરૂં કરી દેવામાં આવ્યો છે. દાહોદ જિલ્લાની ૦૬ વિધાનસભા બેઠક માટે તમામ પાર્ટીઓના ઉમેદવારોની પણ જાહેર થઈ ચુંકી છે. આ વખતની વિધાનસભાની ચુંટણી રસાકસીના માહોલ વચ્ચે યોજાનાર હોવાનું પણ તજજ્ઞો દ્વારા કહેવાઈ રહ્યું છે તે માટે તમામ પક્ષો દ્વારા પોતાની પાર્ટીના ઉમેદવારોને જીતાવડા માટે કમર કસી છે ત્યારે દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેરમાં ફરી વખત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચુંટણી પહેલા પધારવા છે. દાહોદ જિલ્લાની ૦૬ વિધાનસભાની ચુંટણીના પ્રચાર અર્થે તારીખ ૨૩મી નવેમ્બરના રોજ વડાપ્રધાન મોદી દાહોદના ખરોડ મુકામે જાહેર સભાને સંબોધશે. વડાપ્રધાન મોદી ૨૩મી તારીખ આવનાર હોવાના સમાચાર મળતાંની સાથે દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી, જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ દ્વારા તડામાર તૈયારીઓ શરૂં કરી દીધી છે. દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સુચારૂ આયોજન માટે બેઠક પણ યોજાઈ હતી. અગાઉ દાહોદ જિલ્લામાં રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, ભવવંત માન જેવા નેતાઓ પણ પોતાની પાર્ટીના પ્રચાર પ્રસાર માટે આવી ચુક્યાં છે ત્યારે આવનાર વિધાનસભાની ચુંટણી દાહોદ જિલ્લા માટે કેવા પ્રકારના પરિણામો જાહેર કરશે તેના પણ સૌ દાહોદ જિલ્લાવાસીઓની નજર મીંડરાયેલી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আমগুৰিত আৰক্ষীৰ বৃহৎ সফলতা
দীৰ্ঘদিন ধৰি আমগুৰি নগৰৰ লগতে ইয়াৰ দাতিকাষৰীয়া অঞ্চল সমুহত বাইক চুৰৰ দপদপনিত ৰাইজ এক প্ৰকাৰ...
কৰ্ণাটকৰ বিজয়াপুৰা গুদামত আবদ্ধ হৈ বিহাৰৰ সাতজন শ্ৰমিকে মৃত্যু।
বিজয়াপুৰাত সংঘটিত হয় এক হৃদয়বিদাৰক ঘটনা, যেতিয়া খাদ্য গুদামৰ ট্ৰেজেডীয়ে বিহাৰৰ পৰা অহা সাতজন...
Giving youth a skill full training in tune with PM's vision : Chugh
BJP national general secretary Tarun Chugh today said that the Modi government was committed to...
ઉમાશંકર જોશી જ્યંતી ઉજવણી કરવામાં આવી..
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ સમી ખાતે ઉમાશંકર જોશી જ્યંતી ઉજવવામાં આવી...સમી ખાતે સ્થિત...