સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાનાં પીપળા ગામે સામુહિક દુષ્કર્મ આચર્યાની ઘટના બની હતી. જેમાં ધ્રાંગધ્રા પોલીસે શંકાનાં આધારે ઝડપેલા શખ્સોએ જ દુષ્કર્મ આચર્યાનું રીમાન્ડ દરમ્યાન બહાર આવ્યું હતુ. ધ્રાંગધ્રા તાલુકાના પીપળા ગામે ખેતરમાં પરપ્રાંતિય પતિ-પત્નિ ખેતમજુરી કરી રહ્યાં હતા. ત્યારે નશાની હાલતમાં ચોરી કરવાના ઈરાદે આવી ચડેલા ત્રણ શખ્સોએ પતિ ઉપર હુમલો કરી માથામાં ગંભીર ઈજા પહોંચાડી હતી, અને પત્નિ સાથે સામુહિક દુષ્કર્મ આચરી નાસી ગયા હતા.પોલીસે તપાસ કરીને ત્રણ શકમંદોને ઝડપી લીધા હતા. હળવદ તાલુકાનાં માથક ગામના દિનેશ મધુભાઈ ઝખાણીયા, હળવદ રણછોડગઢના ભરત પ્રેમજીભાઈ વાઝેલીયા અને મુળી તાલુકાના રાયસંગપર ગામનાં વિઠ્ઠલ વિનુભાઈ જખાણીયા નામનાં ત્રણેય દેવીપૂજક શખ્સોને કોર્ટમાં રજુ કરી રીમાન્ડ પર લેવાયા હતા. શંકાનાં આધારે ઝડપેલા આ ત્રણેય શખ્સોએ રીમાન્ડ દરમ્યાન ગુનો કબુલી લીધો હતો. શકમંદ તરીકે ઝડપાયેલા આ ત્રણેય આરોપીઓ એ જ દુષ્કર્મ આચર્યાનો ઘટસ્ફોટ થતા પોલીસે તમામ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শিমলুগুৰি আঞ্চলিক ছাত্ৰ সন্থাৰ এক ব্যতিক্ৰমী কাৰ্যসূচী।
"জীৱনৰ সতে" শীৰ্ষক নতুন প্ৰজন্মৰ বাবে শিমলুগুৰি আঞ্চলিক ছাত্র সন্থাৰ এক ব্যতিক্ৰমী কাৰ্যসূচী ।...
ट्रॉले ने बाइक को मारी टक्कर, बाइक सवार एक युवक की मौके पर ही मौत*
ब्रेकिंग
*ट्रॉले ने बाइक को मारी टक्कर, बाइक सवार एक युवक की मौके पर ही मौत*
- दो...
બિપરજોય ઇફેક્ટ : યાત્રાધામ પાવાગઢ ખાતે તા.૧૩થી તા.૧૬ જૂન સુધી રોપ-વે બંધ રહેશે.!!
ગોધરા તા.
ગુજરાતના દરીયાકાંઠા વિસ્તારોમાં ભયાનક બિપરજોય વાવાઝોડું ત્રાટકવાના શરુ થયેલા કાઉન્ટ...
কন কন শিশু সকলৰ গীত নৃত্যৰে মুখৰিত ৰহা আদৰ্শ শিশু বিকাশ কেন্দ্ৰ
সৰ্বোচ্চ নম্বৰ,ভাল আখৰ লিখা ৪৩গৰাকী ছাত্ৰ ছাত্ৰী ক পুৰস্কাৰ প্ৰদান।
১৯৮৮চনৰ ১০ফেব্ৰুবাৰীত ৰহা স্থাপিত ৰহা আদৰ্শ শিশু বিকাশ কেন্দ্ৰ ত বৃহস্পতিবাৰে বঁটা প্ৰদান আৰু...