આજકાલ ગુજરાત માં વિધાનસભા ની ચૂંટણી ચાલી રહી છે જેમાં ભાજપ કોંગ્રેસ આપ સહિત અન્ય નાની મોટી પાર્ટીઓ એ પોતાના ઉમેદવારો ને મેદાને ઉતાર્યા છે દરેક પાર્ટીઓ ના નેતાઓ અને કાર્યકર્તાઓ દરેક વિસ્તાર માં પ્રચાર કાર્ય તેમજ સભા ઓ કરી રહ્યા છે...આ વખતે વિધાનસભા ની ચૂંટણી માં આમ આદમી પાર્ટી એ પોતાના ઉમેદવારો મેદાને ઉતાર્યા છે..જેે અનુુુસાર સૌરાષ્ટ્ર ની  ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા મતવિસ્તારમાં આમ આદમી પાર્ટી કાંંતીભાઈ સતાસીયા ને ઉમેદવાર તરીકે જાહેર કરેલ છેે. રાજકીય ક્ષેત્રે દશકાઓનાા અનુુુભવી કાાંતીીભાઈ સતાસીયા એ  પોતાની જીત નક્કી કરવા માટે બગસરા તાલુકાના પાટીદાર સમાજ ના પુર્વ  અમરેલી જિલ્લા આપ મહામંત્રી તેમજ મજબૂત આંદોલનકારી નેતા પારસભાઈ સોજીત્રા કે જેઓ કેટલાક દિવસો થી આ વિસ્તાર ના ગામડાઓ ખૂંદી રહ્યા છે તેમજ ધારી તાલુકા કોંગ્રેસ ના પીઢ કાર્યકર સ્વ ચતુરભાઇ બાળધા ના પુત્ર અને પારસ સોજીત્રા ના ખાસ ગણાતા વિરેશ બાળધા પણ સાથે જોડાયા છે જેના ભાગરૂપે જુના અને નવા આપ કાર્યકર્તાઓ માં ખુશી ની લાગણી ફેલાઇ છે જેથી ડબ્બલ તાકાત થી આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ ના ઉમેદવારો ને પછાડી ખાતું ખોલાવી શકે છે.