હાલોલ તાલુકાના તરખંડા ગામે રહેતા ચેતનકુમાર દલપતભાઈ વણકર પોતાની બાઈક પર પાછળની સીટ પર સંજયકુમાર જયંતીભાઈ વણકરને બેસાડીને હાલોલ તાલુકાના અરાદ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અરાદ રોડ પર આવેલા બીલીયાપુરા ગામ નજીક બીલીયાપુરા ચોકડી પાસે એક મારુતિ વાનના ચાલકે પોતાની મારુતિ વાનને બેફામ પુર ઝડપે ગફલત ભરી રીતે હંકારી લઈ આવી ચેતનકુમારની બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક પર સવાર ચેતનકુમાર અને સંજયકુમાર બાઈક સહિત રોડ પર પછડાયા હતા જેમાં ચેતનકુમાર અને સંજયકુમારને ઇજાઓ પહોંચવા પામી હતી જોકે ચેતનકુમારને પગમાં સામાન્ય ઈજા પહોંચી હતી પરંતુ સંજયકુમારને કમરના ભાગે વધુ ઇજા પહોંચતા હાલોલની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી જ્યારે અકસ્માતને પગલે બાઇકને ભારે નુકશાન પહોંચ્યું હતું અને મારુતિ વાનને પણ આગળના ભાગે નુક્સાન પહોંચ્યું હતું જેમાં બનાવને પગલે ચેતનકુમારે હાલોલ રૂરલ પોલીસ મથકે મારુતિ વાનના ચાલક સામે અકસ્માતની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.